________________
Ex
અમૂલ્ય મોતી
118
બગદાદના ખલીફાને એક બહુ જ કદરૂપા નોકર પ્રત્યે અત્યંત પ્રેમ હતો, આ જોઈ એના છ ઉમરાવોને ઘણી નવાઈ લાગી. એકવાર ઉમરાવે પૂછ્યું : નામદાર, એના પ્રત્યે આપના અતિ પ્રેમનું કાંઈ કારણ છે?
ખલીફાએ જવાબ આપ્યો: એકવાર ઉંટ પર બેસી હું લપસણા રસ્તા પરથી પસાર થતો હતો. ઉંટ લપસી ગયું અને હાથીદાંતની પેટીમાંથી મોતી વેરાયા. મેં તે વખતે સાથે ચાલતાં નોકરને કહ્યું : જે કોઈ મોતી શોધી લાવશે તેને તે મળી જશે.
બધા જનોકરો મોતી શોધવા દોડી નીકળ્યા, ફક્ત આજ એક મારી પાસે ઉભો રહ્યો. મેં તેના ઉભા રહેવાનું કારણ પૂછ્યું: ત્યારે એણે કહ્યું : નામદાર, સૌથી અમૂલ્ય મોતી તો (આપ) અહીં જ છો. તો શું એનું રક્ષણ કરવાની મારી ફરજ નથી ? મારે મારી ફરજ પહેલા બજાવવી જોઈએ.
આ સાંભળીને ઉમરાવોને લાગ્યું : ' ખરેખર કદરૂપા માણસનું હૃદચ કદરૂપું ન હતું.
விடி
Jain Education International
કથાની ક્યારી
For Private & Personal Use Only
લાગે પ્યારી
www.jainelibrary.org