Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 185
________________ ( માણેક થોક અહમદશાહ નામના રાજાએ પોતાના નામ ઉપરથી અહમદાબાદ નગર વસાવ્યું. જેનું પાછળથી અમદાવાદ થઈ ગયું. જયારે આ નગર વસાવ્યું, ત્યારે તેની ચારે બાજુ ફરતો કિલ્લો બનાવાનું શરુ કર્યું. પરંતુ મોટી મુશ્કેલી એ થઈ કે કડિયાઓ જે કિલ્લો દિવસે ચણતા તે રાતે પડી જતો. | આ કારણથી રાજા ખૂબ જ ચિંતામાં પડ્યો. પોતાના સાથીઓ સાથે આ અંગે ઘણી બધી વિચારણાઓ કરી. છેવટે એક જણે ઉપાય બતાવ્યો, રાજાજી ! કિલ્લાની પાસે માણેકનાથ નામનો બાવો બેઠો હતો. જો તેને ખૂશ કરવામાં આવે તો કદાચ આ સંકટમાંથી છૂટકારો મળે... - રાજાએ આ ઉપાય અજમાવી જોવાનું વિચાર્યું. રાજા પોતે પગે ચાલીને માણેકનાથ બાવા પાસે આવ્યો. તે સમયે માણેકનાથ સાદડી વણી રહ્યો હતો. રાજા આવીને પગે લાગ્યો અને માણેકનાથને કહે બાવાજી !' આ નગરીનો કિલ્લો કેમ રોજ રાતે પડી જાય છે ? ત્યારે બાવાજી કહે : ૧૭૬ કથાની ક્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194