Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 183
________________ 3 ચોકીદારને કહ્યું કે અંદર ગયેલા ભાઈ જેવા બહાર નીકળે કે તરત જ તેમને આપણા ઘરે જમવા લઈ આવજે, આટલું કહીને શેઠ ઘરે ગયા. પેલા ભાઈ જેવા બહાર નીકળ્યા કે ચોકીદાર તેમને તરત જ શેઠના ઘરે લઈ ગયો. શેઠે પેલા ભાઈનું સ્વાગત કર્યું. અને 3 તેમને ખૂબ પ્રેમથી પકવાન જમાડ્યા. પછી શેઠે પૂછ્યું... ભાઈ ! આજે તમે જે કામ કર્યું છે તે જરા પણ સારું કામ નથી કર્યું, તમે કેમ આમ કર્યું...? શેઠની વાત સાંભળીને પેલા ભાઈ ધ્રુજી ઉઠ્યા. એણે શેઠની માફી માંગી કહ્યું રોઠ ! મારી ભયંકર ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મેં સટ્ટામાં એક લાખ રૂપિયા ગુમાવ્યા છે, અને આવતી કાલે તે ચૂકવવાના છે, માટે મને આ પ્રતિમા ચોરવાનું સૂઝયું.. પણ રોઠ ! હવે આવું પાપ કદી નહીં કરું... શેઠે કહ્યું કે તો તમારે મને આ વાત પહેલા કરવી હતી ને ! જો તમે મને આ વાત કરી હોત તો ચોરી કરવાની જરૂર જ ન રહેત... અને શેઠે તે જ વખતે પેલા ભાઈને એક લાખ રૂપિયા ગણીને આપી દીધા. ૧૭મ Jain Education International કથાની ન્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194