Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 181
________________ કાળ કરી આઠમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ પામીને શાશ્વત મોક્ષ પદને પામશે. ભકૅિત અગે વિવેક ) બહેનના ઘરે વિવાહનો પ્રસંગ હતો. ભાઈમાં ભક્તિ હતી પણ વિવેક ન હતો. ખેતરમાં કપાસ ઘણું પાડ્યું છે. એનું જ એક ગાડું ભરીને બહેનને ભેટ આપી દઈશ. એમ વિચાર કરી ભાઈએ કહ્યું : બહેન! વિચાર તો વસ્ત્રો જ ભેટ આપવાનો હતો. પણ પછી થયું કે કાકા કયાં લઈ જવા ? માટે વસ્ત્રો જેમાંથી તૈયાર થાય છે એ કપાસનું ગાડું જ સાથે લેતો આવ્યો છું. આ બહેનને થયું કે ભાઈમાં ભક્તિ છે પણ વિવેક નથી. ભાઈને શિખામણ આપવા માટે જમવાના સમયે ભાઈની થાળીમાં ઘઉં જ પીરસ્યા. ભાઈને આશ્ચર્ય થયું. તેણે કહ્યું: આ ઘઉ ખાવાના કામમાં કેવી રીતે આવે? બહેને કહ્યું : બધી વાનગીઓ ઘઉંમાંથી જ બને છે. કપાસનો ઢગલો જો પહેરવાના કામમાં આવે તો ઘઉથી પેટ કેમ ન ભરાય? ભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ.' કથની ક્યારી લાયો પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194