Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 189
________________ કૌશલ નરેશા આ કાશી નરેશ અને કોશલ નરેશ વચ્ચે યુદ્ધ થયું. એમાં કોશલ નરેશનો ઘોર પરાજય થયો. કોશલ રાજયમાં કોશલ નરેશ ખૂબ જ પ્રિય અને પ્રજા વત્સલ હતા. એમનો પરાજય થતાં કોશલની પ્રજાને ભયંકર આઘાત લાગ્યો. આ બાજુ કોશલ નરેશ પણ પરાજિત થતાં જ કાશી નરેશથી બચવા માટે ગુપ્ત રીતે ભાગી છૂટ્યા. | કોરાલ ઉપર કાશી નરેશનું સામ્રાજય આવતાં જ કાશી નરેશ કોશલ નરેશનું માથું કાપી લાવનારને ૫૦૦૦ મહોરોનું ઈનામ જાહેર કર્યું. આ સમાચાર કોઈપણ રીતે ભાગી છૂટેલા કોશલ નરેશને મળ્યા હતા. તેઓ પોતાના કોશલ દેશની પ્રજાના સુખદુઃખ ની ખબર રાખવા માટે ગુપ્ત વેશમાં ઘણીવાર આવતા હતા. પોતાની પ્રજા પ્રત્યેની અપાર મમતા તેમના અંતરમાંથી કે મે ય કરીને હટતી ન હતી. | કોશલ નરેશ એકવાર સન્યાસીના વેશમાં કોશલની પ્રજાની સ્થિતિ જાણવા આવ્યા. તેમને એક ગરીબ ખેડૂત મળ્યો, 160 કથાની કયારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194