Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 191
________________ છે. તો પછી આ ખેડૂતને ૫૦ ૦ ૦ મહોરો તમે જલ્દી આપી દો કેમકે હું પોતે જ કોશલ નરેશ છું. આપ મારું માથું કાપી લો. તમારી સાથેના યુદ્ધમાં હું હારી ગયો છું. તમે જીતી ગયા છો, પણ લોકોના દીલમાં તમે હજી જીત મેળવી શક્યા નથી. એમ |કહીને કોશલ નરેશે સન્યાસીનો વેશ ઉતારી નાંખ્યો. અને પોતાનુ અસલી સ્વરૂપે પ્રગટ કોશલ નરેશની વાત સાંભળીને કાશી નરેશની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. પોતાની પ્રજાના દુઃખને દૂર કરવા માટે પોતાનું માથું આપી દેનારા કોશલ નરેશ પ્રત્યે એને એટલું માન જાગ્યું કે તેના પ્રત્યેના વેરને ભૂલી ગયો. અને ઉભો થઈને કોશલ નરેશને ભેટી પડ્યો. કાશી નરેશ કોશલ નરેશને તેનું રાજય પાછુ સોંપ્યું. કાયમ માટે બંને પાકા મિત્રો બની ગયા. જો તમારો આત્મા જાગૃત હશે, તમારામાં સાચું જ્ઞાન હશે તો તમે સુખ-દુ:ખના પ્રસંગોમાં પણ સમતા - સમાધિને ટકાવી શકશો. ૧૮ર કથાની ક્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194