Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 177
________________ ( ધદેવ મ6િ 'મૃતિકાવતી નગરીમાં જીતારી રાજા રાજય કરતો હતો. ત્યાં સુદત્ત નામે શેઠને ધન અને ધરણ નામે બે પુત્રો હતા. ધન ઉત્તમ ગુણોથી યશ પામ્યો. જ્યારે ધરણ નિર્દયી, ક્રૂર અને ઈર્ષ્યાળુ હોવાથી અપયશ > પામ્યો. તેથી ધનને મારી નાંખવાનું નક્કી કરી, કહેવા લાગ્યો કે અત્યાર સુધી પિતાના દ્રવ્યથી આપણે સુખ ભોગવીએ છીએ. પણ જાતે કમાવવા પરદેશ જઈ આપણા ભાગ્યની પરીક્ષા કરીએ. બંને ભાઈઓએ માતા પિતાની આજ્ઞા લઈ પરદેશ માટે પ્રયાણ કર્યું. માર્ગમાં ધરણે ધનને પૂછયું : સંસારમાં સુખ ધર્મથી મળે કે પાપથી ! ધને કહ્યું : સુખ ધર્મથી જ મળે. ત્યારે ધરણે કહ્યું કે પાપથી જ સુખ મળે... ' લોકોને પુછતાં જો મારી વાત સાચી ઠરે તો હું તારા બંને નેત્રો કાઢી લઈશ. અને જો તારી વાત સાચી ઠરે તો તું મારા બંને નેત્રો કાઢી લેજે. આ પ્રમાણે શરત કરી બંને આગળ વધ્યા. ત્યાં કોઈ ધરણ 15 કથાની જ્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194