Book Title: Jambuswami Acharya Ardrakumar Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૩ જંબુકુમાર બોલ્યા : “પૂજ્ય માતાપિતા ! ચારિત્ર બહુ દોહ્યલું છે એ વાત ખરી, પણ તેનાથી તો કાયર જ ડરે. હું તમારી કૂખે ઉપન્યો છું. વ્રત લઈને જીવ જતાં પણ ભાંગીશ નહિ.” માબાપ કહે, “પુત્ર ! જો તને સંજમ લેવાની ખૂબ ઇચ્છા હોય તો પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલો છીએ. તારા માટે જે કન્યાઓ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા હોય તો સુખેથી દીક્ષા લેજે.' જંબુકુમારે કહ્યું : “આપની આજ્ઞા હું માથે ચડાવીશ, પણ પછી મને દીક્ષાથી આપ રોકશો નહિ.” માબાપે કહ્યું : “બહુ સારું.' ઋષભદત્તે આ કન્યાઓના પિતાને બોલાવ્યા અને કહ્યું : ‘અમારો જંબુ પરણીને તરત દીક્ષા લેવાનો છે. પરણે છે તે પણ અમારા આગ્રહથી જ. માટે આપને જે વિચાર કરવો હોય તે કરો. પાછળથી અમને કાંઈ કહેશો નહિ.” પોતાના પિતાને વિચારમાં પડેલા જોઈ તે કન્યાઓએ કહ્યું : “પિતાજી ! આપને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે તો જંબુકુમારને વરી ચૂકી છીએ. હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું.” કન્યાઓનો આવો નિશ્ચય થયો એટલે સાત દિવસની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36