Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૩ પ્રભવે ધનની ગાંસડીઓ ઊતરાવી નાખી, ઊંઘ પાછી ખેંચી લીધી અને હાથ જોડી બોલ્યો, “જંબુકુમાર ! ધન્ય છે તમને કે ધનના ઢગલા છોડી, અપ્સરા જેવી સ્ત્રીઓ છોડી દીક્ષા લો છો. હું તો મહાપાપી છું. ધન મેળવવા નીચમાં નીચ ધંધા કરું છું, પણ આજે મને મારા જીવનનું ભાન થયું. સવારે હું પણ બધા મારા સાથીઓ સહિત તમારી સાથે દીક્ષા લઈશ.' આ વખતે બધી સ્ત્રીઓ જાગી ઊઠી હતી. તે જંબુકુમારને દીક્ષા ન લેવા સમજાવવા લાગી. - એક સ્ત્રી કહે, “સ્વામીનાથ ! આપ દીક્ષા લેવા તૈયાર થયા છો, પણ પાછળથી બક ખેડૂતની માફક પસ્તાશો.” પ્રભવ કહે, “બક ખેડૂતની શી વાત છે? તે મને જણાવો.” તે સ્ત્રીએ વાત કહી, “મારવાડમાં એક ખેડૂતે ધાન્યની ખેતી કરી. પાક બહુ સારો થયો. પછી એક વખત પોતાની દીકરીને ત્યાં ગયો. ત્યાં મળ્યા માલપૂડા. તે બહુ મીઠા લાગ્યા. એટલે પૂછયું, “આ વસ્તુ શી રીતે બને ?' જવાબ મળ્યો કે “ઘઉંનો લોટ ને ગોળ હોય તો બને.” તેણે ઘેર આવી ખેતરમાં થયેલું બધું ધાન્ય ઉખેડીને ઘઉં તથા શેરડી વાવ્યાં, પણ પાણી વિના બંને સુકાઈ ગયાં. મારવાડમાં તે એટલું પાણી ક્યાંથી મળે ? બિચારો તે ખૂબ પસ્તાયો. એ પ્રમાણે મળેલું ગુમાવીને, ન મળે એવા માટે મહેનત કરે તેને પસ્તાવાનો વખત આવે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36