Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૩ . . . . . . આંખો. વિકરાળ તેનું મોં. બધા માણસો ભેગા થયા એટલે તે બોલ્યો : “દોસ્તો ! આજ એક જબ્બર લાગ મળ્યો છે.” રાજગૃહીના નગરશેઠ ઋષભદત્તને ત્યાં લગ્ન છે. ઘણા શેઠ શાહુકાર ત્યાં એકઠા થયા છે. રોજ રોજ શા પાપના ધંધા કરવા ! આજે જો બરાબર હાથ પડી જાય તો જિંદગીભરનું દુઃખ ટળે, માટે આજે બરાબર તૈયાર રહેજો, બધા બોલ્યા : ‘તૈયાર છીએ ! તૈયાર છીએ !” આ બોલનારનું નામ પ્રભવ. મૂળ તો તે રાજાનો પુત્ર, પણ બાપે નાના ભાઈને ગાદી આપી એટલે રિસાઈને ઘેરથી ચાલી નીકળેલો. પછી ચડ્યો ચોરી ને લૂંટના રસ્તે. તે એટલો જબરો થયો કે તેનું નામ સાંભળતાં માણસોના હોશકોશ ઊડી જતા. એક એકને આંટે એવા પાંચસો ઝંઝાર જોધને એકઠા કર્યા. આવા પોતાના પાંચસો સાથીદારોને લઈ તૈયાર થયો. બરાબર અંધારું થતાં શહેરમાં દાખલ થયો, ને જંબુકુમારના મકાન આગળ આવ્યો. તેની પાસે બે વિદ્યાઓ હતી. એક ઊંઘ મૂકવાની ને બીજી ગમે તેવાં તાળાં ઉઘાડવાની. તેણે આવીને પોતાની વિદ્યાઓ અજમાવી. તરત જ બધાં ઊંઘમાં પડ્યાં. તિજોરીનાં તાળાં ટપોટપ ઊઘડવા લાગ્યાં. લૂંટારાઓએ તેમાંથી જોઈએ તેટલું ધન લઈ ગાંસડીઓ બાંધી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36