Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ જૈન ધર્મ વિશે મહાનુભાવો ૩૧ .ت .ت.ت. .ت. ભગવાન મહાવીરે બુલંદ અવાજે એવો સંદેશો ફેલાવ્યો કે ધર્મ માત્ર સામાજિક રૂઢિઓનું પાલન કરવાથી નહીં, પરંતુ સત્યમાર્ગનો આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. ધર્મમાં મનુષ્ય-મનુષ્ય વચ્ચે કોઈ સ્થાયી ભેદભાવ ન રાખી શકાય. જોતાં આશ્ચર્ય થાય છે કે ભગવાન મહાવીરના આ ઉપદેશે સમાજમાં ઘર કરી ગયેલી આ ભેદરેખાને ઘણી જ ત્વરિતતાથી નષ્ટ કરી નાખી; અને સમગ્ર દેશને પોતાને વશ કરી લીધો, જીતી લીધો. કવિવર રવીન્દ્રનાથ ટાગોર ભગવાન મહાવીરને “જિન” અર્થાત્ વિજેતાનું પદ પ્રાપ્ત થયું હતું. એ માટે તેઓએ ન તો કોઈ દેશ જીત્યો હતો કે ન તો કોઈ યુદ્ધ લડ્યા હતા, પરંતુ તેઓએ પોતાની આંતરવૃત્તિઓ સાથે સંગ્રામ ખેલી પોતાની જાત ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. ભગવાન મહાવીર આપણી સામે એક એવા આદર્શરૂપે છે, જેમણે સંસારના બધા પદાર્થોનો પરિત્યાગ કરી ભૌતિક બંધનોથી છુટકારો મેળવ્યો. આ રીતે, તેઓ આત્મતત્ત્વના ઉત્કર્ષ માટેનો અનુભવ મેળવવામાં વિજયી બન્યા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36