Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 26
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૩ • જાલાવલિ કેલી ; સાહેલીનું ટોળું. દર્શન કરીને મંડપમાં ફરવા લાગી. ત્યાં ધ્યાનમગ્ન મુનિ દેખ્યા. સહુએ તેમને ભક્તિથી વંદન કર્યું પણ શ્રીમીતીની આંખ તેમના પરથી ખસી શકી નહીં. જાણે પૂર્વ ભવના સ્નેહી મળ્યા હોય તેમ હૃદય તેમના તરફ ખેંચાવા લાગ્યું. આખા રસ્તે તેને આ મુનિના વિચારો આવ્યા. તેમની છબી જ તેના હૃદયમાં કોતરાઈ ગઈ. રાત્રી પડી. સૂવાનો સમય થયો, પણ આજે શ્રીમતીને ચેન પડ્યું નહીં. ખૂબ પડખાં ફેરવતાં ઘણા વખતે તે સૂઈ ગઈ, પણ સ્વપ્નમાં તે જ મૂર્તિ દેખાઈ. ઊંઘ પૂરી થઈ ને જાગી. સુંદર સ્વપ્ન ચાલ્યું ગયું, એટલે દિલગીર થઈ, પણ તે પોતે જ અહીં છે તો દિલગીરી શા માટે ? ચાલ તેમનાં ફરીથી દર્શન કરું. આ વિચાર આવતાં શ્રીમતી ચાલી. ધીમે ધીમે પો ફાટે છે. ઊગતા પ્રકાશમાં તે મંદિરમાં આવી ને આર્દમુનિના ચરણે પડી. આર્દમુનિએ આંખ ખોલીને જોયું તો એક નવજુવાન બાળા. ઘણા વખત સુધી કાબૂમાં રાખેલી આંખો આજે કાબૂમાં ન રહી. તેમણે ધાર્યું નહોતું કે સંયમમાં આવાં સંકટ આવશે. મહામહેનતે આંખને પાછી ખેંચી મનને કાબૂમાં રાખ્યું. અને નિશ્ચય કર્યો કે આ સ્થળે હવે રહેવું નહીં. તે તરત જ ત્યાંથી ચાલવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36