Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 163
________________ ૧૫ર પત્રો દ્વારા જૈનતત્વ પરિચય મિત્રે સલાહ આપી, “છાંયડો સુધારવાનો પ્રયત્ન કરતો નહીં. તું સીધો ઊભો રહે, તો છાંયડો એની મેળે સીધો થઈ જશે.” આપણે પણ પર્યાય જોડે-શરીર જોડે એકત્ર કરી મનુષ્ય વ્યવહાર, આચરણ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આપણાં પરમ સુહૃદ એટલે પરમમિત્ર-દેવ, શાસ્ત્ર, ગુરૂ-આપણને કહે છે – “હે ભવ્ય ! તું પોતાને ઓળખ. પર્યાય તરફ જોતાં જોતાં તેમાનાં વિભાવ અને રાગદ્વેષ દૂર કરવાનો પ્રયત્ન છોડી દે. તું પોતાને પોતાના સ્વભાવ પ્રમાણે માન, પોતાને પોતામાં સ્થાપન કર, તારી પર્યાયો સ્વસમ્મુખ થઈ સ્વભાવ પરિણમન કરવા લાગશે. અનાદિ સંસ્કારવશ આ વિપરીત માન્યતાઓ હોય તોપણ ગભરાવાનું કંઈ જ કારણ નથી. સાત તત્ત્વોનું સ્વરૂપ યથાર્થપણે જાણી સ્વમાં લીન થવું એ જ ઉપાય છે.' આ સાત તત્ત્વોનું જેવું છે તેવું શ્રદ્ધાન એટલે હેય, શેય ઉપાદેય સ્વરૂપ કેવું છે તે આપણે આગલા પત્રમાં જોઈશું. -એ જ તમારી બા. વારંવાર કહેવાથી પુનરૂકિતનો દોષ લાગે છે તોપણ હે જીવ તું મોહનિદ્રામાં સુતેલો છે તેમાંથી કેમ જાગતો નથી? આત્મભાવથી વિપરીત રાગ-દ્વેષ વિભાવને ગ્રહણ કરે છે અને ડગલે ને પગલે પાંચ ઈન્દ્રિયોના વિષયભોગોના સુખોમાં મગ્ન રહે છે અને તેથી અનેક પ્રકારનાં દુઃખોને તું સામો થતો જાય છે અને તારા આઠ કમો નાશ પામતાં નથી. આત્માનાં સ્વભાવરૂપી મહાપદથી ભ્રષ્ટ થઈ આ સંસારમાર્ગમાં ભ્રમણ કરી રહ્યો છે. હે જગતવાસી જીવ ! તું પંચેન્દ્રિયોનાં વિષયસુખથી ઉદાસીન થઈ જાગૃત થા અને શુદ્ધાત્માનાં અનુભવમાં એવો લીન થા કે જે યોગે પાછો આ સંસારમાં તને ફરીથી આવવું ન પડે. - પં. ઘાનતરાયજી - “ઘાનતવિલાસ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194