Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 167
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તેનો ત્યાગ કરવાની બુદ્ધિ હાસ્યાસ્પદ છે. રીના-મોના, હું જો તમને કહું કે હું અમેરિકાના વ્હાઈટ હાઉસ અને આગ્રાના તાજમહેલનો ત્યાગ કરીશ, તો તમે મને ચોકકસ માનસિક રોગી સમજી ઉપચાર કરવાની ગોઠવણ કરશો. અજીવતત્ત્વને જ્ઞેય ન માની હેય કે ઉપાદેય માનવું એ જ ઘણી મોટી ભૂલ છે. તત્ત્વજ્ઞાનરૂપી ઉપચારની તેને ગરજ છે. ૧) જ્ઞેયનો અર્થ જાણવાયોગ્ય અજીવતત્ત્વ ૨) હેય નો અર્થ છોડવાયોગ્ય-ત્યાગવા યોગ્ય આસવ, બંધતત્ત્વ ૩) ઉપાદેય શબ્દના ૩ ભેદ છે. અ) આશ્રય કરવા યોગ્ય બ) એકદેશ (આંશિક) પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય ક) પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય ૧૫૬ ----- Jain Education International પત્રની શરૂઆતમાં જે દાખલો જોયો હતો તેમ બીજાનાં ઘરો જાણવામાં સુખ મળતું નથી પરંતુ કેવળ તે ઘરો મારાં નથી, એટલું જાણવાથી કામ ચાલી જશે. તે મારાં માત્ર જ્ઞેયો છે. તે ઘરોનો મારે ત્યાગ કરવો જોઇએ એવું માનવું ભૂલ ભરેલું થશે. કારણ તે મારી માલિકીના નથી એટલે કે તેઓને હેય માનવું ખોટું છે. તે પ્રમાણે બીજાના ઘરમાં હું સુખ મેળવીશ એમ માનવું એટલે તેઓને ઉપાદેય માનવું પણ ભૂલ ભરેલું હશે. કારણ તે ઘરમાં મારો પ્રવેશ જ થઈ શકતો નથી. તે ઘરો બીજાનાં છે. મારાં નથી, મારું સુખ મારા ઘરમાં છે એ જાણવું યથાર્થ જાણવું છે અને એમ જાણ્યું તો જ મેં બીજાના ઘરોને યથાયોગ્ય જાણ્યાં એમ કહેવાશે. તે પ્રમાણે અજીવતત્ત્વ એ માત્ર જ્ઞેયતત્ત્વ છે. તે મારૂં તત્ત્વ નથી, પરતત્ત્વ છે. મારૂં સુખ સ્વતત્ત્વમાં છે. અજીવતત્ત્વમાં નથી. તેમ જ અજીવતત્ત્વ હેય નથી કારણ તેનો મારામાં અભાવ છે, તો હું તેને ત્યાગીશ કેમ ? તે ઉપાદેય પણ નથી કારણ તેમાં મારો પ્રવેશ જ નથી. આ પ્રમાણે અજીવતત્ત્વને જાણવું એ યથાયોગ્ય જાણવું ગણાય. આપણે અરહંત સિદ્ધો પાસે જઈએ છીએ એટલા માટે કે મારો પણ વૈભવ, મારો પણ સ્વભાવ આવો જ છે તે જોવાં. સ્વભાવમાં લીન થઈ અનંત સુખી બની શકાય તેનું સાક્ષાત ઉદાહરણ તેઓનાં રૂપે આપણને For Private & Personal Use Only જીવતત્ત્વ - સંવર, નિર્જરાતત્ત્વ મોક્ષતત્ત્વ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194