Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 185
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તે મૂર્તિઓ ફકત પોતાને પ્રસિદ્ધ ન કરતા તે પ્રકાશને પણ પ્રસિદ્ધ નહોતા કરતા કે ? અર્થાત પ્રકાશનું અસ્તિત્વ બતાવતા હતા. પણ આ વાત આપણાં ધ્યાનમાં જ આવતી નથી. સ્વચ્છ અને સ્થિર પાણીમાં જે પ્રતિબિંબ પડે છે, તે પાણીની સ્વચ્છતા જાહેર કરે છે. અરિસામાં દેખાતું પ્રતિબિંબ અરિસાની સ્વચ્છતા પ્રસિદ્ધ કરે છે. આપણે ભીંત સામે ઊભા ન રહેતા, અરિસા સામે ઊભા રહી આપણું પ્રતિબિંબ નિહાળીએ કારણ પદાર્થોને પ્રતિબિંબિત કરવાનો ગુણ અરિસામાં છે. અરિસામાં કેવળ રૂપ-રંગ જ પ્રતિબિંબિત થાય છે પણ જ્ઞાનદર્પણ એવો વિશેષ છે કે તેમાં પદાર્થોના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અવાજ તે ઝળકે છે જ, પણ અરૂપી (અમૂર્તિક) અને સૂક્ષ્મ બાબતોને જાણવાનું સામર્થ્ય, દૂરવર્તી પદાર્થો, બધાં દ્રવ્યોની, ભૂત, વર્તમાન ભવિષ્યકાલીન પર્યાયો જાણવાનું સામર્થ્ય, પોતાના પણ અનંત ગુણ પર્યાયોને જાણવાનું સામર્થ્ય, પણ તેમાં છે. સ્વ અને પરનું ભેદજ્ઞાન એટલે લક્ષણો દ્વારા ભિન્ન ભિન્ન વાતોને ભિન્ન ભિન્ન ઓળખવું. જ્ઞાન એ ‘સ્વ’ નું પ્રગટ લક્ષણ છે અને જેમાં મારૂં જ્ઞાન-દર્શન નથી તે બધાં પર છે. આપણે આજ સુધી એવું માનતા આવ્યાં હતાં કે આંખો, કાન, નાક ઈત્યાદિ ઈન્દ્રિયો જાણવાનું કામ કરે છે, શરીરને જ્ઞાન થાય છે. પરન્તુ હવે આટલા દિવસોના અભ્યાસથી એમ સમજાયું કે શરીર તો પુદ્ગલ છે, કારણ તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ગુણો છે. પરન્તુ જ્ઞાન નામનો ગુણ નથી. મારૂં જ્ઞાન એ લક્ષણ જેમાં છે તે હું છું. ૧૭૪ દરેક સમયમાં આપણે જે જાણીએ છીએ તે ‘શેય', જે જાણે છે તે ‘જ્ઞાતા’, જ્ઞાન દ્વારા જાણીએ છીએ તેથી એ સાધન તે ‘જ્ઞાન’ અને ‘જાણવાની ક્રિયા’ આ ચાર વાતો હોય છે. એટલે હું જ્ઞાન દ્વારા જ્ઞેયને જાણું છું. આ ચારે બાબતો આપણા ધ્યાનમાં આવે છે, જ્ઞાનમાં આવે છે, અનુભવમાં આવે છે. જ્યાં જ્યાં જાણવાની ક્રિયા થાય છે ત્યાં ત્યાં જ્ઞેય, જ્ઞાતા, જ્ઞાન અને જાણવાની ક્રિયા આ બધુ આપણા જાણમાં અવશ્ય આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194