Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 166
________________ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ૧ તે ખરૂં જાણવું નથી, તો અજીવતત્ત્વમાં મારો પ્રવેશ થઈ શકતો નથી, અને મારામાં અજીવતત્ત્વ પ્રવેશ કરી શકતું નથી, મારો અને અજીવતત્ત્વનો એકબીજા સાથે કાંઈ પણ સંબંધ, લેવું-દેવું, સુખદુ:ખનુ કાર્ય-કારણપણું ઈત્યાદિ નથી એમ જાણવું તે જ ખરૂં જાણપણું છે. ૧૫૫ અજીવતત્ત્વ ‘પર’ છે ‘સ્વ’ નથી એમ જાણવાનું છે. બીજાનાં ઘરો જોતાં-નિહાળતાં-ખાડાં ટેકરાંમાં પડવું એ મૂર્ખાઈ ઠરશે. તે મુજબ અજીવતત્ત્વ જ્ઞેય છે માટે તેને જાણવામાં જ અમને રસ હશે, રૂચિ હશે તો તે યથાયોગ્ય જાણવું નહીં થાય. પૂજામાં પણ આપણે બોલીએ ને કે, ‘હો શાંત જ્ઞેયનિષ્ઠા મેરી.’ આજસુધી આ જીવને અજીવતત્ત્વની જ મહિમા આવેલી છે. જ્ઞેયલુબ્ધ થઈ પરદ્રવ્યોને જ જાણવામાં આ જીવે અનંત ભવો ધારણ કર્યાં. પરન્તુ આ બધાંને જાણનારો એવો ‘હુ’ – જ્ઞાનવાન-તેની મહિમા જીવને આવી નથી. જે તે દ્રવ્યની પર્યાય પોતામાં જ થતી હોય છે. દા.ત. અરિસામાં પડેલું અગ્નિનું પ્રતિબિંબ તે અરિસાની પર્યાય-અવસ્થા છે. તે અરિસાની સ્વચ્છતા જાહેર કરે છે. તે પ્રમાણે બધાં પદાર્થોને જાણવામાં આવે છે તે જ્ઞાનની પર્યાય, આત્માનાં જ્ઞાનગુણને જાહેર કરતી હોય છે. પ્રતિબિંબ જોવામાં જે મગ્ન થાય તેને અરિસાની સ્વચ્છતાનું ભાન રહેતું નથી. સ્વચ્છતા...મટી જાય નહીં ! તેમ હોત તો પ્રતિબિંબ જ દેખાયું ન હોત. તે પ્રમાણે જ્ઞાનમાં પદાર્થો ઝળકે છે, પ્રતિબિંબિત થાય ત્યારે તે પ્રતિબિંબોને જ જાણવામાં અટકી પડે તેને જ્ઞાનનું-આત્માનું-ભાન જ થતું નથી. દીકરીઓ, આજસુધી તમે અરિસા સામે ચહેરો નિહાળતા હતા. હવે અરિસાની સ્વચ્છતા નિહાળવાનો પ્રયત્ન કરો. થોડું પ્રેક્ટિકલ જોઈએ ને? આ જીવ જ્ઞેય તત્ત્વને જ્ઞેય ન માનતાં તેનો ગ્રહણ ત્યાગ કરવાનો ભાવ કરે છે. ઘણાં જણને લાગે છે કે તો પછી આપણે ધનસંપત્તિ ઘરબારનો ત્યાગ કરવો જોઈએ ને ? જેને એમ લાગે તે અજીવતત્ત્વને યથાયોગ્ય જાણતાં નથી. જેમનો જીવતત્ત્વમાં કદી પ્રવેશ જ થયો નહોતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194