Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 17
________________ જા જા જા જા જા જા જા જા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ દેખાય છે એટલી અદ્ધર છે. જે વખતે રાજાએ પ્રતિમાને ગાડામાં સ્થાપી હતી તે વખતે અંબાદેવી અને ક્ષેત્રપાલ પણ પ્રતિમા સાથે હતા. અંબાદેવીને સિદ્ધ અને બુદ્ધ નામના બે પુત્રો હતા. ઉતાવળ ઉતાવળમાં અંબાદેવીએ તેમાંથી એક પુત્ર સાથે લીધો, પણ એક પુત્ર ભુલથી પાછળ રહી ગયો. અંબાદેવીએ ક્ષેત્રપાળને હુક્મ કર્યો કે “પાછળ રહી ગયેલા પુત્ર ને લઈ આવ.” પણ અતિ વ્યાકુળપણે ચાલતો ક્ષેત્રપાળ પણ પાછળ પાછળ રહી ગયેલા પુત્રને ન લાવ્યો, તેથી અંબાદેવીએ કોપાયમાન થઈને ક્ષેત્રપાળના માથામાં ટુંબો માર્યો. અત્યારે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથામાં તે પ્રમાણે જ જોવામાં આવે છે. આ પ્રમાણે અંબાદેવી અને ક્ષેત્રપાલ જેની સેવા કરી રહ્યા છે અને ધરણેન્દ્ર તથા પદ્માવતી જેની ઉપાસના કરે છે, એવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભવ્ય લોકોથી અત્યારે પૂજાય છે, તેમ જ યાત્રાળુ લોકો યાત્રા મહોત્સવ કરે છે. આ પ્રતિમાના હવણનું પાણી આરતી ઉપર છાંટવામાં આવે તો પણ આરતી બુઝાતી નથી, તેમજ પ્રતિમાના હવણનું પાણી લગાવવાથી દાદર, ખસ તથા કોઢ વગેરે રોગો નાશ પામે છે એવો અત્યારે પણ પ્રભાવ છે. - શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં જે કંઈ સાંભળવામાં આવ્યું તે પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ સ્વ-પરના ઉપકારને માટે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના કલ્પમાં લખ્યું છે. શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ તીર્થકલ્પનો સાર આ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલા ઉપરના વૃત્તાંતમાંથી નીચેની મુખ્ય વાતો તરી આવે છે. - રાવણના સેવક માલી અને સુમાલી કોઈ કાર્યાર્થે વિમાનમાં બેસીને જતા હતા તે વખતે વચમાં ભોજનનો અવસર થવાથી નીચે ઉતર્યા, પણ પ્રતિમા સાથે લાવવી ભુલાઈ ગઈ હતી અને પ્રતિમાપૂજા સિવાય ભોજન ન કરવાની તેમની પ્રતિજ્ઞા હતી તેથી તેમના ફૂલમાળી

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92