Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 33
________________ maa%ae%e0%aa%%aa%શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ ભગવાનના શાસનમાં અષાઢી શ્રાવક મોક્ષમાં ગયા છે. અંગદેશની ચંપાનગરીમાં કરકંડુ રાજા રાજ્ય કરતો હતો. ચંપા નગરીની પાસે જ કાદંબરી અટવી હતી. તેમાં કલિ નામે એક ડુંગર હતો, તેની નીચે કુંડ નામે સરોવર હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન વિચરતા વિચરતા કુંડ સરોવરની પાસે કાઉસગ્ગ મુદ્રાથી ઊભા હતા. તે વખતે એક હાથી ત્યાં આવી ચડ્યો ભગવંતને જોઇને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે – “પૂર્વભવમાં તે એક વામન (ઠીંગણો) બ્રાહ્મણ હતો. લોકો તેના વામન પણાની ઘણી મશ્કરી કરતા હતા તેથી કંટાળીને તે આપઘાત કરવાની તૈયારી કરતો હતો ત્યારે એક શ્રાવકે આવીને તેને અટકાવ્યો અને ધર્મ પમાડ્યો. ત્યાંથી મરતી વખતે મોટા શરીરની પ્રાપ્તિનું નિયાણું કરીને મરવાથી તે મરીને હાથી થયો.” આ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વજન્મ જાણીને હાથીએ તળાવમાંથી કમળો લાવીને ભગવાનની ખૂબ પૂજા કરી, પાણીથી સિંચન કર્યું અને સૂંઢથી ભેટી પડ્યો. પછી તરત જ અનશન કરીને હાથી મહદ્ધિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયો. સવારમાં કરકંડુ રાજાને ખબર પડી અને તે ત્યાં આવ્યો પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા હતા. રાજાને ઘણો શોક થયો. ધરણેન્દ્રના પ્રભાવથી ત્યાં નવ હાથની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઇ. રાજાએ મંદિર બંધાવીને તે પ્રતિમાની તેમાં સ્થાપના કરી. (બીજા મતે રાજાએ જ મૂર્તિ ભરાવીને મંદિર બંધાવીને તેમા સ્થાપના કરી.) હાથી મરીને મહદ્ધિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયેલા દેવે એ પ્રતિમાનો મહિમા ખૂબ વિસ્તાર્યો ત્યારથી કલિકુંડ તીર્થ પ્રગટ . થયું. (જુઓ, ઉપદેશસપ્તતિ. આત્માનંદ સભા (ભાવનગર) પ્રકાશિત) ૩. ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, શાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તગડદશાંગ, અનુત્તરોપપાતિકદશાંગ પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર આ નવ અંગોની ટીકા કરનાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજ વિક્રમના બારમા સૈકામાં થઇ ગયા છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92