Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 132
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ શકી નહાતી. જ્ઞાનમાર્ગમાં તેમણે સિદ્ધાન્ત-સુત્રાના પદ્યબંધ અનુવાદરૂપ નંદિત્તુથોન પ્રવર્તાવ્યે. આજીવકા પાસેથી તેમણે નિમિત્ત વિષયક જ્ઞાન લઈ પારસકૂળ જઇને શકાને મુગ્ધ કર્યાં હતા અને લૌકિકવિષયક દ્દારુ સંહિતા રચી હતી. તે સિવાય પ્રથમાનુયોગ પણ રચ્યા હતા. તેમાં તેમણે ચક્રવતી વાસુદેવાનાં પૂર્વભવા તથા ચિરત્રાનું વર્ણન કર્યું છે. સંભવ છે કે સૂત્રમાં જે મૂલ પ્રથમાનુયાગ અને ગંડિકાનુયોગનું વર્ણન આપ્યું છે તે તેમની કૃતિ હશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌથી ધ્યાન ખેંચે તેવું કાંતિકારી પગલું ભર્યું તે ચતુર્થાં-પ`ખા માટેનું હતું. પ બાપ પર પરાથી ભાદરવા સુદ ૫ નારાજ થતું, તેથી ઉજૈનીથી પ્રતિષ્ઠાન આવતાં જ આ કાલકે જાહેર કર્યું કે ભાદ્ર શુકલા પાંચમાએ પર્યુષણા થશે. સંધે એ વાતના સ્વીકાર કર્યું ત્યારે ત્યાંના રાજા જે શ્રાવક હતા તેણે કહ્યું, “ તે દિવસે મારે લેકાવૃત્તિથી ઇંદ્ર મહાત્સવમાં સમ્મિલિત થવું પડશે, તેથી ચૈત્ય અને સામેની ભક્તિ કરી શકાશે નહિ, માટે પર્યુષણુા ષડ્ડીએ રાખેા. ” કાલકે કહ્યું, “ પંચમીના દિવસનું ઉલ્લંધન ન થઈ શકે.’ ” “ ત્યારે આગામી ચતુર્થીએ પર્યુષણા કરી. ’’ “ એ થઈ શકશે. એમ આચાયે કહ્યું. તેથી ચતુર્થીના દિવસે પર્યુષણા કરવામાં આવ્યું. યુગપ્રધાનેએ એ જ કારણે ચતુર્થાંતી પ્રવૃત્તિ આદરી અને સર્વ શ્રમસÛ તે પ્રમાણ માન્યું. એ પછી પણ પ્રતિ વર્ષે પર્યુષણા ચતુર્થીએ જ થતું રહ્યું. કેમકે ઈમહેાત્સવ પ્રતિ વર્ષ આવતા હતેા. પર્યુષણા પર્વના આ પ્રકારના ફેરફારમાં કાઈ ગીતાર્થે પણ બારમી શતાબ્દિ સુધી વાંધા ઉડાવ્યેા નથી. વિ. સ. ૧૧૫૬ માં ચંદ્રપ્રસ નામના આચાર્ય આ પ્રવૃત્તિ સામે પહેલવહેલા વિરોધ ઉડાવ્યેા. તેમણે પંચમીએ પર્યુષણા અને પૂર્ણિમાએ પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું ફરીથી શરૂ કર્યું. આ રીતે તેમણે પોતાના પૂર્ણિમા-પક્ષ સ્થાપ્યા.” ( જુએ પ્રાર્થ હ્રાસ્ટક દિલેવી મનન Xન્થ). એ સિવાય તેમણે સૂવર્ણ ભૂમિમાં જઇને પોતાના પ્રશિષ્ટ સાગરને અનુયાગ આપ્યા હતા. આ ઘટના અને ગભિન્નોદ્વંદવાળી ઘટનાથી તેમના વિચારક્ષેત્રતા પણ ખ્યાલ આવી શકે તેમ છે. તેમને શિષ્ય સમુદાય મેટા હશે તેમાં કંઈ જ શંકા નથી. તેમનેા કયારે સ્વર્ગવાસ થયા તે જાણી શકાતું નથી, પણ વીર નિ. સં. ૪૬૫ માં સ્વસ્થ થયા એમ લાગે છે. [9] કાલકાચાર્યની ઉપર્યુક્ત ક્રાંતિકારી પ્રવૃત્તિથી જણાય છે કે વિક્રમસંવત્સરની પ્રવૃત્તિ પણ તેમની જ પ્રેરણાનું ફળ હશે અને તેથી જ રૈનાએ આ સંવત્સરને ખૂબ અપનાવ્યા હશે. કાઈક વિદ્વાને કહ્યું છે કે:-- "Vikram Samnat is used by the Jains only, and was first adopted by the kings of Anhilpattan. એ જ વાતને ટેકા આપતાં ભાઉ દાજીએ જણાવ્યું છે કે “ I believe that the era ( Vikrama ) was introduced by the Buddhists or rather the Jains. ( જીએ: જ. ખે. એં. રા. એ. સો. પુ. ૮, પૃ. ૨૩૩ ) "" 35 ઉપર્યુક્ત કથન મુજબ અને આજતા પ્રચલિત વ્યવહારથી જૈનેએ આ રાષ્ટ્રીય સવત્સર પ્રવર્તાવવામાં મહત્ત્વના ફાળા આપ્યા હાય એમ લાગ્યા વિના રહેતું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244