________________
[ ર૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ :
આહાર મિલે તે લેણે નહી તે બીજે માસે વાત ગઈ. એવા મુનીરાજના દરસણ થાય છે. ત્યાંથી આગલ ચાલવાનો કરતા હતા કે એટલે સાધુજી અમને કહે કે આગળ જાસો નહી. સાથી ને હાથી કેસ ૩૦૦ ગયા એટલે પછે એક ટાંને મુલક આવે છે. એવી હકીકત અમાને શ્રીપરભાવચંદ કહી એટલે અમો સં. ૧૮૨૧થી સાલમાં સર્વે જાત્રા કરી ૧૬ વરસે કુસલમ ઘરે આવીયા છો. એવા અમાના મેક્ષગામીના દરસન થયા છે. એ કાગલ સંપૂર્ણ લિખે છે.
નોંધ-ઉપરના પત્રની નકલ મારી પાસે જુનીભાષામાં તેમજ બાળબોધ લીપિમાં લખેલી છે. અને તે લગભગ ૧૦૦ વરસની લખેલી લાગે છે.
આ પત્રમાં જે જે વિગતે આપી છે તે બધી બહુ વિચારણીય છે. એક ઠેકાણે બીષભદેવ ભગવાનને પ્રાસાદ ૪ કાસ ઉંચો હોવાનું લખ્યું છે. આથી કેસનો શું નિશ્ચિત અર્થ કરવો એ સમજાતું નથી. અતિહાસિક દ્રષ્ટિએ પણ આનુ શું મૂલ્ય હેઈ શકે એ જોવાનું રહે છે. છતાં આ પત્ર ભાષાની દ્રષ્ટિએ કે એવી બીજી કોઈ દષ્ટિએ વિદ્વાનોને ઉપપોગી થઈ પડશે એમ લાગવાથી અહીં છાપ્યો છે. એની સત્યાસત્ય હકીકત ઉપર વાચક વર્ગ વીચાર કરે અને ઇતિહાસના અભ્યાસીઓ એ સંબંધી કંઈ ખૂલાશે બહાર પાડે એવી આશા છે.
( ૨૨ ૭ માં પાનાથી ચાલુ) અનુમાન પ્રમાણમાં થઈ શકે છે. તે પણ તેમ કરવા જતાં કેટલીક અસ્પષ્ટતા થવ પામે છે તેથી પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર જૂદા પ્રમાણે માનવ એમ કેટલાકોનું કહેવું છે જેનદર્શનને તો આઠ પ્રમાણુની કે ચાર પ્રમાણુની (નિયત સંખ્યાની એક પણ વાત સમ્મત નથી, કારણ કે ચાર અગર આઠ માનવા છતાં બીજા અનેક માનવાં રહી જાય છે. અનુમાન, અને આગમ પ્રમાણને માનનાર, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને તક પ્રમાણને ન માને, એ ચાલી શકે તેમ નથી, અનુમાન માટે તર્ક (વ્યાપ્તિજ્ઞાન)ની આવશ્યકતા છે, અને ઉપમાન તથા આગમ પ્રમાણ માટે સંકેત ગ્રહણ તથા વાવાચક ભાવના સંબધના સ્મરણની આવશ્યકતા છે. એ કારણે યથાર્થદશી
શ્રી જગદર્શને ચાર કે આઠ પ્રમાણ આદિ માનવાની ખટપટમાં નહિ ઉતરતાં પ્રત્યક્ષ અને પક્ષ, એ બે જ પ્રમાણો સ્વીકારી લીધાં છે, અને પ્રત્યક્ષ સિવાય સઘળાં પ્રમાણને પક્ષ પ્રમાણમાં અંતર્ભાવ કરી દીધું છે. જે કોઈ નાન જેટલા અંશે પૂર્વ જ્ઞાન કરતાં અધિક વિષયને ગ્રહણ કરનાર હોય તે જ્ઞાનને પ્રમાણ માનવા માટે શ્રી કન દર્શને તૈયાર છે. અધિક વિષયને દર્શાવનાર છતાં તેને ભિન્ન પ્રમાણે નહિ માનવું, એ યુક્તિયુક્ત નથી. એટલા મા બધા વિશેષ જ્ઞાનને જpદાં જુદાં પ્રમાણ તરીકે નિરૂપણ નહિ કરતાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે છે એમ નિરૂપણ કર્યું છે. અને સર્વ પ્રમાણને તે બે પ્રમાણમાં સંગ્રહ કરી દેવામાં આવ્યું છે. એ રીતે માનવાથી કોઈ પણ પ્રમાણ માનવું બાકી રહી જતું નથી તેમ જ સંખ્યાની નિરર્થક વૃદ્ધિ પણ થતી નથી.
(અપૂર્ણ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org