Book Title: Jain Satyaprakash 1938 02 SrNo 31
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટાંગ યોગ સંયોજક–શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા (ગતાંકથી ચાલુ) નિયમ– જન્મના હેતુભૂત કામ્યધર્મથી નિવૃત્ત થઈને મોક્ષના હેતુભૂત નિષ્કામ ધર્મમાં પ્રેરણા કરવાવાળા તપાદિ છે તેમને નિયમ કહે છે. કેટલાક સિદ્ધાન્તો એકાન્તવાસ, નિઃસંગતા, આદાસિન્ય, કથાપ્રાપ્તમાં સંતોષ, વિષયમાં વિરસતા, અથવા ગુરૂ પતિ દૃઢ અનુરાગ દ્વારા મને વૃત્તિને નિયમમાં લાવવી તેને નિયમ કહે છે. આ નિયમના પાંચ પ્રકાર છે:- (૧) શાચ, (૨) સન્તોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય અને (૫) ઈશ્વર પ્રણિધાન. શૌચ પવિત્રતાને શાચ કહે છે. તેના બે પ્રકાર છે. (૧) બાહ્ય શેચ અને (૨) આભ્યન્તર શચ. બાહ્ય શાચ એટલે સ્થૂલ શરીરનું કૃતિકા (માટી), જલ આદિથી પ્રક્ષાલન કરવું, તેમ શુદ્ધ સાત્ત્વિક પદાર્થનું સેવન કરવું, આથી પવિત્રતા ઉત્પન્ન થાય છે. આ બાહ્ય શૈચ કહેવાય છે. અર્થાત્ બાહ્ય સાધનોથી જે પવિત્રતા થાય છે તે બાહ્ય શાચ કહેવાય છે. સર્વ સ્વભાવ, ચિત્તના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આદિ ભલેને, મૈત્રી કરૂણા આદિ ઉપાથી દુર કરવા અને ચિત્તને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં લાવવું-તેને નિર્મલ કરવું તે આભ્યન્તર શૈ ચ છે. સંતોષ જીવન-નિર્વાહને જરૂર પુરતી વસ્તુઓ સિવાય કોઈ પણ વસ્તુ પ્રાપ્તિની ઇરછા ન કરવી તેને સતે કહે છે. બીજા મતે પ્રારબ્ધ કર્માનુસાર જે અન્ન, વસ્ત્રાદિ શાસ્ત્રોક્ત ભોગ પ્રાપ્ત થાય છે તેમાં જે તૃપ્તિ રાખવી અથવા સ્વાધ્ય–શાતિ ચિત્તમાં સમાધાન રાખવું, તૃષ્ણને વિલય થઇને પૂર્ણ કામ હોય તેમ નિજ કાર્યમાં ઈશ્વરનાં દર્શન થવા તે સંતોષ છે. તપ- બંને દેષ રહિત થઈને સહન કરવાં તે તપસ્ કહેવાય છે શીત, ઉષ્ણ, ભૂખ, પ્યાસ, ઉઠવું, બેસવું આદિ ઠ% કહેવાય છે. આ બ્દોને શાસ્ત્રોકત વ્રત ધારા પણ સહન કરવાં જોઈએ. બીજા મતે શીતષ્ણ સુખદુ ખાદિ ધબ્દોને સહન કરી નિયમિત અને સંયમિત જીવન વ્યતીત કરવું તથા અનુષ્ઠાન, મન્ન જત્ર, ઉપાસના દ્વારા અશુદ્ધિને નાશ કરવા તે તપ કહેવાય છે. જેષ્ઠ, શ્રેષ્ઠ, પૂજ્ય, ગુરૂ, પ્રાજ્ઞનો સત્કાર અને સેવન તથા શૈાચ, આર્જવ, બ્રહ્મચર્ય અને અહિંસાનું ૫ લન કરવું તે શારીરિક (કાયિક) તપ છે. ઉદ્વેગ રહિત, સત્ય, પ્રીય, હિત ભાષણ, અને સ્વાધ્યાયને અભ્યાસ, વાચિક (વાણુ ) તપ છે અને મનની * હિંદી “ કલ્યાણ” માસિકના યોગાંક ઉપરથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44