Book Title: Jain Satyaprakash 1938 02 SrNo 31
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિપ૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ સખત હોવાથી આ ગુફાએ માં બહુ જ સુંદર તૈયારીયુક્ત રચના જણાતી નથી. જે લોકોએ અદ્યાપિ પર્યત બાંધકામમાં મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કર્યો હતો, તેમનામાં પુષ્કળ મહેનતને ઉપયોગ કરવા માટે પૂરતી ધીરજ હોય એમ ભાગ્યે જ માની શકાય. તેમણે તે અંદરને ભાગ માત્ર કાચ જેવો પોલીશ કર્યો છે. અને તેટલા માત્રથી એમણે સંતોષ માને છે. આ ગુફાની બાબતમાં કેટલીએક મહત્ત્વની બાબત ધ્યાનમાં લેવા ગ્ય છે. ખારવેલ મહારાજા જે ઈ. સ. પૂર્વે પહેલા અગર બીજી સૈકામાં થઇ ગયા તેમણે આજીવિકાને કાઢી મૂકી તેમનાં નામો પર્ણશિલા લેખોમાંથી કાઢી નંખાવી “બરાબર પર્વત પરની ગુફામાં કલિંગ દેશના લશ્કરને સ્થાન આપ્યું હતું. જે મશ ઋષિની ગુફા જે અધુરી હતી, તે તેમણે સુગ્ય બનાવી જેથી પ્લાસ્ટરનું રાસાયણિક દૃષ્ટિએ પરીક્ષણ કર્યાથી તેનો લગભગ સમય કાળ નક્કી કરી શકાય તેમ છે. દીવાલો પૅલીશ કરવા માટે મહારાજા ખારવેલે માર્ય યુગ પછીના કારીગરોને કામે લગાડયા હશે એમ જણાય છે. મહારાજા અશોક અને દશરથ રાજાઓની માયે યુગની ગુફાઓના જેવી જ આ ગુફા છે. મકર જે જનેનું વિશિષ્ટ ચિન્હ છે તે સંબંધી મી. K. Deb Codington તરફથી સન ૧૮ર૬ માં બહાર પડેલ Ancient India from the Earliest Times to the Guptas with Notes on the Architecture and Sculpture of the Mediaeval Period. આ નામના પુસ્તકમાં રસદઈ પુરાવે મળી રહે છે. તેમાં જેના તેરના ધાટ જેવા ટુકડાઓ કંકાલીટીલા તેમ જ મથુરામાં મસ સાથે દેરવામાં આવેલ જણાય છે. લોકશ કષિની ગુફાનો સમય કાળ ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકાનો હોય એમ શિલ્પશાસ્ત્રના દષ્ટિબિંદુથી મી. કેન્ડીગટન જણાવે છે. મી. જેકસને આપેલી બે વધુ બાબતોથી એક દક્ષિણ હિંદના રહેવાસી અને જૈનની હાજરીનું વધુ સૂચન મળી રહે છે. (ઈ.B..R.S.Vol. 12. Part, 1 pp. 51.) આ બે વધુ બાબતોમાં એક સ્વસ્તિકની અને પાંચમી લાઈનમાં ત્રિશૂલને લગતી છે. મી. જેકસને આ બન્ને ચિ નીચેના મસ ચિહ્નને પણ ઓળખાવેલ છે. (J. B. 0. R. S. opi. cit. pp. 51). મહારાજ અશોકના શિલાલેખ સંબંધી મી. હલ્ટ જે પ્લેટે પ્રગટ કરેલી છે, તેના પહેલા ભાગમાંની પંચાવન આકૃતિઓ પૈકી “કરનમે પાર” ની ગુફાના શિલાલેખ ઉપરાંત એક જ શિલાલેખ એ છે કે જેના પર સ્વસ્તિકનું ચિહ્ન જોવામાં આવે છે. આ શિલાલેખ તે “જૈગઢ” ના ખડક ઉપરના શિલાલેખ જેવું છે. ગઢ એ ગંજામથી વાયવ્ય ખુણામાં આશરે અઢાર માઈલ દુર એક ખડેર જેવો કિલો છે. લેમશ ઋષિ ગુફામાં ઉધે સ્વસ્તિક જે મળી આવે છે તે દક્ષિણ હિંદના જૈનેનું એક ધાર્મિક ચિહ્ન હતું તેમ એ ચિહ્નને ઉપયોગ હિંદના બીજા ભાગના લોકોએ બહુ જ પુરાતન કાળથી કર્યો જણાય છે. ત્રિશૂલ એ જૈનેનું પુરાતન ચિહ્ન છે. મથુરાના પુરાતન સમયના કેટલાક અવશેષો પર ચાર સીધા ત્રિશૂલથી બનતા ચેરસની અંદર જિન તીર્થકરની મૂર્તિ પદ્માસને બિરાજમાન જણાય છે. (Confrington-Ancient India pp. 43) સ્વસ્તિક ચિહ્નની માફક ત્રિશુલ ચિહ્ન પણ વ્યાપક બન્યું છે. હવે મસ ચિહ્નને વિચાર કરીએ. એક બાજુ લમશ ઋષિ-“ કરનમોપાર” ના ચિહ્નો એટલે કે મસ, સ્વસ્તિક અને મકર અને બીજી બાજુ મથુરા-કંકાલીટીલાના તેરશો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44