________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લખક...
હીરવિહારસ્તાવ
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી
(બીજા વર્ષના ૧ લા અંકથી પૂર્ણ )
આ માસિકના બીજા વર્ષના પહેલા અંકમાં “હાહાર રાવ ની, તેના પરિચય સાથે ૩૪ કડીઓ મેં આપી હતી. બે પાનાની એ પ્રતિ મને પાટણમાં મુનિરાજ શ્રી જશવિજયજીએ આપેલી. એ બે પાનામાં માત્ર ૩૪ કડીઓ હતી. એ અધૂરૂં હીરવિહારસ્તવ પ્રકટ થયા પછી, શિનેરથી, વિદ્વાન મુનિવર્ય શ્રીમાન્ ચતુરવજયજીએ, આ અધૂરા સ્તવને ઉત્તરાર્ધ, પિતાના ગુરૂવર્ય શ્રીમાન અમરવિજયજી મહારાજના ભાઈના ભંડારમાંની એક પ્રતિ ઉપરથી પોતાના હાથે નકલ કરીને ઉતારી મોકલ્યો છે. બને ગુરુશિષ્ય મુનિવર્યોનો આ બદલ હું અંતઃકરણથી આભાર માનું છું.
મુનિરાજ શ્રી ચતુરવિજયજમા લખવાથી માલુમ પડે છે કે, તેઓની પાસે ૪ પાનાની (૮ પૃષ્ઠની ) પ્રતિ છે. તેના દરેક પૃષ્ટમાં ૧૧ ૧૧ પંક્તિઓ છે. અને દરેક લાઈનમાં ૩૨-૩૨ અક્ષરો છે. તે પ્રતિના મથાળે પણ “મહાપાયેય શ્રી ૫ મિસાગર ગણિ ગુરુભ્યો નમઃ” એમ લખેલ છે. છેવટે પ્રતિ લખ્યાને સંવ કે લેખકનું નામ નથી. પરંતુ અક્ષર ઉપરથી તેઓશ્રી અનુમાન કરે છે કે પ્રતિ તે જ સમયમાં લખાયેલી હોવી જોઈએ.
આ “હીરવિહાર સ્તવ” નો અંતિમ ભાગ તે વખતે નહિ મળેલા હોવાથી હું તેના કર્તાનું નામ આપી શક્યો નહોતો. પરંતુ આ સાથે આપલા અવશિષ્ટના અંતિમ ભાગ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ કૃતિના કર્તા શ્રી ધર્મદાસ છે. અને તેને રસ્થા સમય સંવત્ ૧૬ ક૬ ના જયેક સુદિ પૂનમને છે. સ્તવનની ૩૦ મી કડીમાં છેલ્લી પ્રતિષ્ઠાને સંવત્ બનાવ્યો છે તે આ છે:
સંવત સેલ છોરે ૩ સુદિ ચઉથ ગુરુવાર
કરિઅ પ્રતિષ્ઠા વર્ષઢું મૂરતિ ત્રિણિ ઉદાર છે ૭૦ || આ ઉપરથી મેં મારા પ્રથમ પરિચયમાં જણાવ્યું હતું કે હું ૬૬ ના સુદિ ૪ પછી આ સ્તવન બનાવ્યું હોવું જોઈએ. અને તે વાત રજવનના અંતે આપેલી
સંવત સેલ છોતરે છ સુદિ પૂનિમ સાર,
જિહાં લગઈ સસરવિ (પઈ રે, સ્તવન તપ ચિરકાલ. ભવન. ૬૧ આ કડીથી પણ નિશ્ચિત થાય છે. અર્થાત્ છેલ્લી પતિ પછી તે જ પખવાડિઆમાં આ સ્તવન રચવામાં આવ્યું છે. છેલ્લા કળશ માં કર્તાએ પોતાનો પરિચય માત્ર આટલે આ યો છે;
“શ્રી ઋષભજિનવર ભવિક સુખકર હીરવિહાર સુહા કર, શ્રીસૂરતમંડણ દુરિત ખંડણ ન પાસ જિસમ, વિજયરાજિદ વિજયવંતો વિજયદેવ સૂરીસરુ. તાસ પસાઈ સ્તવન રચિવું ધર્મદાસ સુહેકરો. ૬૧
For Private And Personal Use Only