Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 130
________________ ગંદ છે ] आजीविक संप्रदाय [३४५ એના પરિણામે એ ફરીથી મળ નાખી શકયું અને એથી કરીને આખરે એને શીંગે બેઠી અને તેમાં બીમાં થયાં. તે દરમિયાન એ બને જણ કુમ્મગામ પહોંચી ગયા હતા. કેટલાક વખત પછી પાછા વળતાં એઓ એ તલના છોડવા આગળ થઈને પસાર થયા. અને એને જોઈને ગેસાલે મહાવીરને એની ભવિષ્યવાણી યાદ કરાવી અને કહ્યું “સ્પષ્ટ છે કે છેડો નથી મરી ગયો અને બીઆં નથી બંધાયાં.' મહાવીરે જવાબ આપ્યો: “મારી ભવિષ્યવાણી ખરી પડી છે; કારણ તે પોતે એને સમૂળ ઉખેડી દૂર ફેંકી દીધું હતું તે જોતાં છેડો મરી ગયો હતા પરંતુ વખતસર વરસાદ પડવાથી એ છેડો પુનઃ સજીવન થયો અને એને શીંગો બેડી અને બીઆ થયાં.' એમણે ઉમેર્યું કે “આવી જ રીતે સર્વ છેડ સજીવન થઈ શકે એવા છે' ગોસાલે હજી એ વાત ન માની અને છોડવા પાસે જઈને એની શીંગે તપાસી; પરંતુ એ ફેલતાં મહાવીરનું કહેવું ખરું હતું એમ જણાવાથી એણે આગળ વધીને એમ અનુમાન કર્યું કે કેવળ છેડવાએ જ નહિ પરંતુ વાસ્તવમાં સવ સજીવ પ્રાણીઓ પુનઃ જીવિત થવા શક્તિમંત છે. જો કે પુનઃજજીવનના સિદ્ધાંતને આમ સામાન્ય રૂપ આપવા વિષે મહાવીર તે સંમત ન જ થયા. આ બાબતમાં એક બીજો મત જે ભગવતીસૂત્રમાં ૪૮ ગોસાલના અનુયાયીઓને તદ્દન વિશિષ્ટ મત હોવાનું જણાવેલું છે તેને ઉલ્લેખ કરી શકાય. એ “ અ મારું ' ( આઠ અંતિમતાઓ) ના નામે ઓળખાય છે. તે આ પ્રમાણે : છેલ્લું પીણું. છેલું ગીત, છેલું નૃત્ય, છેલ્લી (પ્રેમ) યાચના, છેલ્લે વટળીઓ, છંટકાવ કરતે છેલ્લો હાથી, મોટા પથ્થરો રૂપી અસ્ત્ર વડે કરો છેલ્લો વિગ્રહ અને છેલ્લો તીર્થકર અર્થાત મંખલીપુર પતે. આ સિદ્ધાંતને ઉપસ્થિત કરનાર પ્રસંગે તે ગેસલના જીવનના અંતિમ દિવસોમાં બનેલા પ્રસંગો. પહેલી ચાર “રા' તે એના પિતાના જીવનની વાતમાં કયારનાં ય વર્ણવાઈ ચુકેલાં૪૯ એના પિતાનાં અંતિમ કૃત્યો. ત્યાર પછી ત્રણ તે ગોસલના મૃત્યુ-સમયની બરાબર લગભગમાં બનેલા જાણવા જેવા બની હોવાનું કહેવાય છે. છેલ્લે વળીએ, એ પ્રસંગોપાત હજી પણ બંગાળાની મુલાકાત લેતા, પરંતુ ઉત્તર હિંદના અન્ય ભાગોમાં લગભગ અજ્ઞાત એવા ધોધમાર વરસાદ સાથે થતા પ્રચંડ વાવાઝોડાના એકાદા તોફાનને ઉદ્દેશીને છે. “ છંટકાવ કરતો હાથી,' તે રાજકીય અંતઃપુરની સન્નારીઓના ગંગાસ્નાનને સમયે તેમના મનોરંજનાથે કેળવેલું એક પ્રકારનું જંગી જનાવર હોવાનું કહેવાય છે; જેના કજા દાવા માટે આગળ જણાવ્યા પ્રમાણે મગધ અને વૈશાલીના નરે વચ્ચે વિગ્રહ ઉત્પન્ન થયે હતો. આ વિગ્રહમાં એવાં પથ્થરનાં અા વપરાયાં હોવાનું કહેવાય છે કે જે દેખીતી રીતે કોઈ પ્રકારની જમ્મર ગોફણે વડે ફેંકાયાં હોવાં જોઈએ.૫૦ આ વિચિત્ર સિદ્ધાંતના અસ્તિત્વનું કારણ, નિઃશંકપણે, એ છે કે પોતાના ગુરુના સંદિગ્ધાર્થ મૃત્યુને વિષે, એમની પુનઃ પ્રતિકા કરે એવી કઈ પ્રકારની ઇદ્રજાલનું આરોપણ કરવાની ગોસાલના શિષ્યોને જરૂર લાગી હતી. ગોસાલના અવસાન સમયે બનેલા પ્રસંગોએ ભગવતી સૂત્રમાં ૫૧ નિવેદન કરેલ બીજા વિચિત્ર સિદ્ધાંતને ઉપસ્થિત કર્યો. એણે પોતાની તાવલી ઉશ્કેરણીમાં પિતાના હાથમાં એક કેરી ધારણ કર્યાનું અને કુંભારના મકાનમાં હમેશાં હાજર હોય છે એ માટીવાળા પાણીથી પિતાની જાતને ભજવ્યાનું કહેવાય છે. આ ક્રિયાએ ચાર પે અને ચાર અપે”(વત્તા rrrrr ઘarી મir ) ને સિદ્ધાંત સુઝાયાનું કહેવાય છે. (ચાર પિયો એટલે ચાર વસ્તુઓ જે પીણ તરીકે વપરાય અને ચાર આપે એટલે ચાર વસ્તુઓ જેને સ્પર્શ કરાય પણ જે પીવાય નહિ) ચાર પેયો તે ગૌમૂત્ર, ૪૮, fols ૧૨૫૪, ૧૨૫૫, ઉ. દ. પરિશિષ્ટ ૧, પૃ. ૭. ૪૯, પૃ. ૪. ૫૦. નિ. સુ. હ, ૧૭ ff. ૫૧. fol, ૧૨૫૫ ff: ૬, ૬. પરિશિષ્ટ ૧ ૫, ૮, ૯, Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190