Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 142
________________ સં છે ] आजीक्कि संप्रदाय [ ૨૧૭ છવાયા ઉલ્લેખો જ લક્ષમાં લેવાનું બાકી રહે છે. વિનયપિટક ૧૮ અને મઝિમનિકાયમ૧૯ કહેલું છે કે બુદ્ધના બુદ્ધ થયા પછી તરત જ કેવી રીતે એમને ઉપક નામના આજીવિકને ભેટો થયો અને એણે એમના આધ્યાત્મિક અનુભવના અહેવાલની કેવી તિરસ્કારપૂર્વક બરદાસ્ત કરી. મઝિમનિકાયમાં ૧૨૦ વળી આજીવિક પડુપુત્તની વાત છે, જે પૂર્વે એક રથ બનાવનારો હતા અને જેને બુદ્ધ પિતાના મતને કર્યો હતો. વિનયપિટકમાં૧૨૧ વળી એક નનામા આજીવિક સાધુ વિષે કથન છે, જેણે બૌદ્ધ સાધુ કરૂપને એના ગુરુદેવના અવસાનની પ્રથમ ખબર આપી. આ ત્રણ જણ સંભવતઃ નિગ્રન્થ સમાજમાંના આજીવિક પક્ષના સભ્યો હતા. બીજે સ્થળે વિનયપિટકમાં એક પ્રસંગે અમુક આજીવિકાને છત્રી ઓઢીને ચાલતા કેટલાક બૌદ્ધ સાધુઓને મેળાપ થતાં એમણે પોતાના હરિફની આ અતાપસિક વર્તણુકની કેવી મજાક કરી હતી તે વર્ણવાયેલું છે. મહાવંશમાં ૧૨૩ આશરે ઈ. સ. પૂર્વે ૪ર૬ માં રાજા પડુકભયના સમયમાં લંકામાં હસ્તિ ધરાવતે “એક આજીવિક સમૂહ, જેને માટે એ રાજાએ એક મકાન (રદ) બંધાવ્યાનું કહેવાયું છે. તેની વિચિત્ર બાતમી છે. એમ છતાં આ બાતમી, જે પૂર્વકાલીન સમયને લગતી છે, તે જોતાં ઘણું સંકેચ સાથે સ્વીકારવી જોઈએ. આજીવિકેની બીજી ઘણી વિચિત્ર બાતમી સદજિરો સુગિઉર (Sadajiro Sugaira) હિંદુજિક એઝ પ્રીઝર્વ ઈન ચાઈના એન્ડ જપાન ૧૨૪ નામના નાના ગ્રંથમાં આવે છે. ઉપદધાતના પૃ. ૧૬ ઉપર ગ્રંથકર્તા કહે છે કે ચીની અને જાપાની ગ્રંથકર્તાઓ વારંવાર એ મહાન સંપ્રદાયમાં ( અર્થાત સુપ્રસિદ્ધ છે ભારતીય સંપ્રદાયમાં ) બે વિશેષ સંપ્રદાયનો સમાવેશ કરે છે. એ નિકેન્દબ્રી અને અશિબિકના નામે ઓળખાય છે અને એક બીજાને તદ્દન મળતા આવે છે, એ બને માને છે કે પાપી જીવનને દંડ મોડે વહેલો ભરવો જ પડે છે; અને એમાંથી બચવું અશક હોવાથી એ દંડ જેમ બને તેમ વહેલો ભરવો એ બહેતર છે કે જેથી ભાવી જીવન આનંદમાં નિર્ગમને કરવાની છૂટ રહે. આમ એમના આચારે તાપસિક હતાઃ ઉપવાસ, મૌન, અચલ-આસન, અને આ કદ પિતાની જાતને દાટેલી રાખવી એ એમની તપસ્યાનાં બોધક હતાં. સંભવતઃ એ સંપ્રદાયો જૈન વા કોઈ અન્ય હિંદુ સંપ્રદાયની પ્રશાખાઓ હતા. આ લખાણુમાંના “નિકેન્દબત્ર અને આશિબિક” સ્પષ્ટતઃ નિષ્ણજો અને આજીવિકે અર્થાત વેતાંબર અને દિગંબર જૈને છે. [ વાડમય-–આજીવિકે વિષે કઈ સંકલિત અહેવાલ અસ્તિત્વમાં નથી, પરંતુ ઉપરના લખાણોમાં ઉલ્લેખાયેલા ગ્રંથે ઉપરાંત એ સંપ્રદાય વિષેના છૂટા છવાયા ટુંક ઉલ્લેખ નીચેના ગ્રંથમાં આવે છે – બુલ્ફર, Epigraphia Indica (Calcutta, 1894), ii, 272, 274, 323 અને ઈ. એ. ૨૦. 342 ff.) ezik, Lotus de la bonne loi (Paris, 1852 ) zilHudle, Sept suttas Palis' છે. એ. (બોમ્બ, ૧૮૭૯) ૮, ૩૧૨; યાકેબી, Jaina sutras, સે. બુ. ઇ, વિ. ૨૨ અને કલ. (ઓકસફર્ડ, ૧૮૮૪-૫) ભાગ. ૨. પૃ. ૧૬, ૧૮, ભા. ૨. મૃ. ૧૯, ૨૨-૨૬, ૨૯-૩૨ ‘અને ઇ. એ. ૧. ૧૬૧ f; એચ. કર્ન, Hist. de Bouddhisme, ૨. (પેરીસ, ૧૮૦૧-૩), ૧૧૮. ૧. ૮, સે. બુ. ઈ. ૧૩, ૯૦, ૧૧૯ ૧. ૭૦; ન્યુ. રે. ૧. ૨૭૧, ૨, ૫૪, ૧૫૦. ૧, ૩૧; ન્યુ. ૨. ૧, ૪૫. ૧૨૧. ૨. ૨૮૪; સે. બુ. ઈ. ૨૦. ૩૭૦. ૨૨. ૨. ૧૩૦; વી. વિ. તરજુમો. ૨૦. ૧૩૨. ૧૨૩. ટ. મ. ૬૭. ૧૨૪, સંપાદક Mr. Eelgar A. Singer, Jr. યુનીવર્સીટી એફ. પેન્સીલવેનીઆની ફીલોસોફીક સીરીઝને ન. ૪. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190