Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 233
________________ દાસીનું પદ્યદેવ પાસે જવું, જડેલા મહેલના સાથી ઉપરના માળે હું પળવારમાં જઈ ઉભી. ત્યાંથી રાજમહેલમાં લાંબે સુધી નજર પહોંચતી હતી. દાસી મને રતનજડિત આસન ઉપર બેઠેલા જુવાન પુરૂષને દેખાડી ચાલતી થઈ. દિલ-૭૦ વિશ્વાસ રાખીને હું કુમારની પાસે ગઈ. પાસે એક ભેળા જે બ્રાહ્મણકુમાર હતે શેઠને દીકરે ઢીંચણ ઉપર મુકીને એક ચિત્ર જેતે હતે. એની આંખમાંથી આંસુ ઝરીને એ ચિત્ર ઉપર પડવું, તે જેમ કોઈ કાગળમાં થયેલી ભૂલ લૂંછી નાખે એમ એણે લુંછી નાખ્યું. આમ એ તને-મળવાની-આશાભર્યો અને વળી તારા-વિજેગથી–ચિંતાભર્યો હૈયે બેઠે હતે. મેં વિનયથી નમીને હાથ કપાળે અડાડી નમસ્કાર કર્યા અને કહ્યું: “ઘણું જી કુમાર’! તે સાંભળી હાથમાં વાંકે દંડ અને લાલચળ જામા નીચે વ્યાઘચર્મ છે જેની પાસે એ પેલો મૂર્ણો અને બલ બ્રાદાણુ ચીભડાના બી જેવા દાંત કાઢો બેલી ઉઠયોઃ “મને બ્રાહ્મણને તે પહેલા નમસ્કાર શા માટે ન કર્યા? આ શુદ્રને કેમ કર્યા?” ભયથી મારીં ચુડી તે કાંડેથી સરી ગઈ, જાણે હું પોતે ભેંય ઉપર પડી ગઈ, અને બોલીઃ “મહારાજ, નમસ્કાર તમને.’ હું તરત જ પાછી ઉભી થઈ ગઈ ને બોલીઃ “સાપના જેટલી મને તમારી બીક લાગે છે, એણે બૂમ મારી “શું? મને તું સાપ કહે છે?” મેં ઉત્તર આપ્યો: “સાપ કહેતી નથી, હવે થયે સંતોષ? પણ એ બોલી ઉઠ મને સાપ કહીને હવે ફરી જાય છે? યાદ રાખ કે હુ ઉંચા બ્રાહ્મણકુળનો છું; મારા પિતા હારિતગોત્રના કાશ્યપ છે, અને હું છોગ્ય સંપ્રદાયનું મીઠું ખારૂં ખાઉં છું. હજી તું મને ઓળખતી નથી ?' આમ એણે મને અનેક મહેણાંટણાં સંભળાવ્યાં, શેઠના કુંવરથી આ સાંભળ્યું ગયું નહિ તેથી તેણે એ બ્રાહ્મણને ખખડા ને કહ્યું “અરે પાછ, પારકા ઘરની દાસીને આમ સતાવ ના. તારે ખાલી બડબડાટ બંધ કરી દે. તું માત્ર મૂર્ખ જ છે, બીજું કાંઈ નહિ.” શેડના કુંવરે એને આમ ધમકાવ્યા એટલે પછી માત્ર દૂર રહીને મારી સામે આંખે કાઢવા લાગ્યો ને બીજા એવા એવા ચાળા કરવા લાગે, બીજું એનાથી કશું થઈ શકયું નહિ. પછી એ ચાલતે થયું એટલે રાજી થઈને, પણ જાણે રડવા જેવી થઈ ગઈ હોઉં એમ, હું બેલી: “ધન્ય પ્રભુ, એ ગયા.” ૭૧૦-૧૬. “શેઠના એ કુંવરે પછી મને પુછયું: “સુંદરી, તું કયાંથી આવે છે? તારે શું જોઈએ છે તે જલદી બેલી દે.” ત્યારે હું બેલીઃ “હે કુળભૂષણ, અવગુણવિહીન, સદ્ગુણસંપન્ન, સફળદ્રુદયમોહન, મારે એક નાનેરો સંદેશે સાંભળે. નગરશેઠ અષભસેનની સ્વર્ગની અસર સમાન કન્યા તરંગવતીએ એ સંદેશે. મેક છે. તરંગવતીએ પોતાના હૃદયની જે ઈશ પિતાના ચિત્રમાં ચીતરી છે, તે ઈચ્છા સફળ થવાની આશા રાખે છે. પાછલા ભવને (ચિત્રમાં ચીતરેલો) નેહસંબંધ જે હજી યે રહેવાનું હોય તે એનું જીવન ટકાવવા Aho I Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282