Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 276
________________ સરગવતી. કરીઃ “અમને દુઃખમાંથી મેક્ષ આપે. તે ઉપરથી એમણે આગળ કહ્યા પ્રમાણે (સાધુસાધ્વીઓને માટે નક્કી થએલું) સામાયિક વ્રત અમારી પાસે લેવરાવ્યું, (તેમાં એવી પ્રતિજ્ઞા લેવાની છે કેઃ “હે પૂજ્ય પુરૂષ, હું સામાયિક વ્રત પાળીશ, એટલે જ્યાં સુધી એ વાતમાં હઈશ ત્યાં સુધી ધર્મથી મના કરેલાં બધાં અસત્કમને ત્યાગ કરીશ, અને મનસા વાચા કાયા, બનતા સુધી હું જાતે એવાં કર્મ નહિ કરું, બીજા પાસે નહિ કરાવું, તેમ જે કઈ કરે તે તેમાં સમ્મતિ પણ નહિ આપું, આવા બધાં કાથી, હે પૂજ્યગુરૂષ, હું દૂર રહીશ.) આ વ્રત જે સરળતાથી સારી રીતે પળાય તે મેક્ષ પમાય. વળી આ વ્રતને કારણે જીવહિંસાથી, અસત્યથી, અસ્તેયથી, સ્ત્રીસંસર્ગથી અને પરિગ્રહથી તથા રાત્રિભેજનથી, અમારે દૂર રહેવાનું હતું. વળી જીવનના, મરણના અને દેહના સિ સવા ત્યાગ કરવા જણાવનારા જે ઉપવતે તે પણ અંતે અમે ગ્રહણ કર્યો. " ૧૫૬૨-૧૫૬૬. ચાકરાએ ખબર પહોંચાડ્યાથી અમારાં માબાપ ત્યાં આવી પહોંચ્યાં અને અમારી દીક્ષાની વાત સાંભળીને નગરમાંથી બાળકા વૃદ્ધ ને સ્ત્રીઓ પણ ઉત્કંડિત થઈને આવી પહોંચ્યાં. એમ એ મોટે બાગ સ બંધીઓથી અને અનેક જિજ્ઞાસુજનથી ભરાઈ ગયે. લેકનાં શરીર એકબીજાથી દબાવા લાગ્યાં અને મહેમાથા પરથાર થઈ ગયું હોય એટલી ભીડ થઈ ગઈ. વ્રતના નિયમને અનુસરીને અમે અમારું એકએક ઘરેણું ઉતારી દીધું હતું એ જોઈને અમારાં સગાં તે રેવા મંડ્યાં, અને અમારાં બંનેનાં માબાપ તો આવતાંની સાથે જ છુટે મહેડે રડવા લાગ્યાં. વળી મારાં સાસુસસરા તે અમને જોતાની સાથે જ મૂરછ ખાઈ જમીન ઉપર પડયાં. મારાં માબાપને આત્મા ધર્મના બધથી કંઈક વિશુદ્ધ બનેલો હતું અને એ જન્મમરણના સંસારદુઃખને જાણતાં હતાં જ, તેથી એ પિતાની આંખનાં આંસુ કંઈક ખાળી શક્યાં, ત્યારે મને ઠપકે દેતાં હેય એમ નહિ, પણ વારતાં હોય એમ બેલ્યાં: ૧૫૭-૧૫૬૮. “દીકરી, તારી આ નાની ઉમરમાં આ તે તે શું સાહસ કર્યું? આવી કુમળી સ્થિતિમાં સાધુજીવનનાં ધર્મકર્મ પાળી નહિ શકાય. તારી નિર્બળતાને કારણે એ જીવનમાં પાપ ના થઈ જવાય એટલા માટે હજી ચેતી જા. જ્યારે જીવનના આનંદને ભેગવી રહે ત્યારે તું સાધુજીવન લેજે. * ૧૫૯-૧૫૭૦. હું બેલી ઉઠી. “જીવનના આનંદને ભેગ તે ક્ષણિક છે અને પછીથી તે કડવા બની જાય છે. કુટુંબજીવનથી ઘણું દુઃખ ખમવું પડે છે, નિર્વાણુના જેવું કશું સારું નથી. બને ત્યાં સુધી માણસે ધર્મને માર્ગે આવી જવું જોઈએ એમાં કલ્યાણ છે; માત આવી ચઢે તે પહેલાં આપણે પરવારી લેવું જોઈએ? ૧૫૭૧. ત્યારે મારા પિતાએ ઉત્તર આપેઃ “જાળામાં લૂંટારા ભરાઈ રહે એમ ઇંડિયે ભરાઈ રહેલી છે જેમાં, એવી તમારી જુવાની હોવા છતાં યે આ સંસારસાગરની ઉપર થઈને નિર્ભયતાએ તરી જજે.” - ૧૫૭૨. એટલામાં સગાંસંબંધીના ઉપચારથી મારાં સાસુસસરાને ચેતન આવ્યું, તેમણે મારા સવામી તરફ જઈને કહ્યું Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282