Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 906
________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ ૮૪૯ અને સાથે સાથે કરાર કર્યો કે, “અમે કદી પણ તાજિયાની સામે યતિને ખેલ કરીશું નહીં.” યતિવરે ફૂંક મારી સૌને કહ્યું કે હવે જઈ શકે છે. મુસલમાનોની જમાત આગળ વધી અને સૌએ જોયું કે ત્યાં દિવાલ નહોતી. આથી તેઓ તાજિયાને આગળ લઈ ગયા. એક દિવસ વિજાપુરમાં એક મુસલમાનને છેક ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની દિવાલ પાસે પેશાબ” કરવા બેઠે. યતિવરે તેને ટેક. કે “તારે અહીં મુતરવું નહીં.” છેકરાએ તુમાખીથી જવાબ આપે કે, “મૂતેગે ?” યતિવરે શાંતિથી કહ્યું, અચ્છા બચ્ચા? “મૂતતે હી રહે.” પછી તો છેક બે-ચાર કલાક ત્યાં જ બેસી રહ્યો અને પેશાબ કરતો રહ્યો. તેના પિતાને છોકરાની દુર્દશાની ખબર પડી. તેણે યતિવર પાસે જઈ વિનંતિ કરી કે, આ છોકરાને પેશાબ બંધ કરી આપો.” યતિએ શાંતભાવે જવાબ વાળે કે, “બંધ થઈ જશે.” પરંતુ ત્યારથી તે છોકરાને પેશાબ બિલકુલ રોકાઈ ગયો અને તે છોકરો વળી અકળાવા લાગ્યું. આથી મુસલમાનની જમાત મળી. અને યતિવર પાસે માફી માગી, એવો કરાર કર્યો કે, “આજથી અમારું કઈ પણ માણસ અહીં પેશાબ નહીં કરે.” પછી તે છોકરાને આરામ થયે. પં. અમૃતવિજયજી યતિવર આવા ચમત્કારી હતા. તેમણે ૧૨ ભાવનાના અધિકારના ગુજરાતી “સવૈયા ૨૮ રચ્યા છે. તેમાંથી તેમની કવિત્વશક્તિ અને ઉચ્ચ જીવનને પરિચય મળે છે. . (૫) ભારક ભુવનતિલકસૂરિ (તપાવૃદ્ધષિાળ) અમે, પહેલાં (પ્રક. ૪૪ પૃ. ૮ થી ૨૮ માં) “તપાગચ્છની વૃદ્ધપલાળના ભટ્ટારકેની પઢાવલી આપી છે. તેમાં ૬૫ મા ભટ ભુવનતિલકસૂરિ થયા હતા. ' તે સૂરિમંત્રના પાઠી હતા. તેમને “યક્ષરાજ મણિભદ્ર મહાવીરનું ઈષ્ટ” હતું. તેમણે તે ઈષ્ટથી “શાસન પ્રભાવના” કરી છે. તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933