________________
સંપાદકીય નિવેદન જૈનોમાં દિનપ્રતિદિન અન્ય દર્શનોની વિચારધારાનો પ્રભાવ પડવાને કારણે કે ઉંબર મૂકીને ડુંગર પૂજવાના ન્યાયે સમ્યકદર્શન જ્ઞાન અને ચારિત્ર દ્વારા મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ જિન શાસનના તીર્થકરોએ સ્વાનુભવ સિદ્ધ દર્શાવ્યો છે તેની ઉપેક્ષા કરીને “ખાવત પીવત મોક્ષ જે માને, તે શિરદાર બહુ જગ મેં” એવી પદ્મવિજયજીની નવપદના તપ પદની પૂજાની પંક્તિના વિચારોને માનનારા લોકોની સંખ્યા વસ્તીવધારા સમાન આગળ વધી રહી છે. અજ્ઞાનતાને કારણે જીવો દર્શન શાસ્ત્રના સત્યને પામી શકતા નથી. આ માટેના પુરૂષાર્થની પણ મોટી ખામી છે.
ભક્ષાભક્ષના નિયમો નહિ અદ્યતન વૈજ્ઞાનિક સાધનો દ્વારા ભૌતિક સુખ મેળવાય તેવી રીતે ધર્મ થતો હોય તો તે કરવાની મિથ્યાત્વવૃત્તિ દિનપ્રતિદિન ભારે કર્મી આત્માઓમાં ઘર કરી બેઠી છે. ભગવદ્ગીતાનાં ગુણ ગવાય છે તેનો કોઈ વિરોધ નથી. ધાર્મિક સહિષ્ણુતાનો ગુણ કેળવવો અને ધાર્મિક સંઘર્ષ ઉદ્ભવે નહિ એ પણ એક પ્રકારનો ઉચ્ચ કોટીનો ધર્મ છે. માધ્યસ્થવૃત્તિ દ્વારા આ ગુણ કેળવી શકાય.
જૈન દર્શનમાં સ્યાદ્વાદની અપેક્ષાએ અને જ્ઞાનના ક્ષયોપશમની દૃષ્ટિએ વિચારીએ તો જૈન ગીતા કાવ્યોની સૃષ્ટિ આબાલ ગોપાળ સૌ કોઈને જ્ઞાન અને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરીને મુક્તિ મેળવવા માટે આહ્વાન આપે છે. તત્ત્વજ્ઞાનને લગતી ગીતાઓ પંડિતોને બુદ્ધિશાળી વર્ગને માટે છે. જ્યારે બાકીના વર્ગના લોકો માટે ચરિત્રાત્મક ગીતાઓ છે જેમાં જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન ઉપલબ્ધ થાય છે. જૈન ગીતા કાવ્યોનો ગ્રંથ પ્રગટ કરવા માટેની આ ભૂમિકા વિચાર પ્રેરક છે.
આપણે આપણા જ્ઞાનના જયોર્તિમય વારસાને ઓળખીએ નહિ તો દીવો લઈ કુવે પડવા જેવી સ્થિતિ થાય તેમાં વાંક કોનો ગણવો?
આ ગ્રંથની કુલ ૨૬ ગીતાઓનો પરિચય એ પણ આ આંક અષ્ટકર્મ વિજયનું સૂચન કરે છે. જૈન ગીતાના વિચારો આત્માની મુક્તિના પોષકને પૂરક છે. તેનો પરિચય એ આત્માનો કિંમતી સ્વાધ્યાય છે, જેના દ્વારા મનશુદ્ધિ થાય છે. તપથી કાયા શુદ્ધિ થાય અને જિનવાણીનો સત્સંગ - વાર્તાલાપ કરવાથી જિન વાણીનાં ગુણગાન ગાવાથી વચન શુદ્ધિ થાય છે.
આ ત્રિવિધ શુદ્ધિ એ આત્માની શુદ્ધિનો અનુપમ માર્ગ છે એમ માનીને આ ગીતા કાવ્યોની સૃષ્ટિનું એક ગ્રંથ રૂપે સંકલન કરવામાં આવ્યું છે. તેની કેટલીક નોંધપાત્ર વિગતો અત્રે આપવામાં આવી છે. ૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org