Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रश्नोत्तर ( પ્રમકાર–સેમચંદ ડી. શાહ-ઝીંઝુવાડાકર. ) પ્રશ્ન – સરસ્વતી દેવીનું વાહન હંસ કે ચૂર ? ઉત્તર–બંને વાહન હોવા સંભવ છે. કારણ કે તે મયુર્વહિનો ને હંસવાહિની બંને પ્રકારે વર્ણવાયેલ છે. પ્રશ્ન ૨–પાક્ષિકાદિ પ્રતિકમણમાં મોડો આવનાર બાકી રહેલ પ્રારંભનું ચાર સ્તુતિવાળું દેવવંદન પાછળથી કરી શકે ? ઉત્તર–કરી શકાય, પણ બનતા સુધી જ આવશ્યક પૂરા થયા પછીના નમોડસ્તુ વર્તમાનાય પછી કહેવાતા નમુથણના જોડાણમાં કરે તે ઠીક છે, જેથી શ્રી અજિતશાંતિ સ્તવન બેલાય તેટલા વખતમાં થઈ જાય. પ્રશ્ન ૩-જ્ઞાનદ્રવ્ય તરીકે જ્ઞાનપૂજનમાં આવેલ દ્રવ્ય શિક્ષકને પગારમાં અને વિદ્યાથીઓને પારિતોષિક તરીકે આપી શકાય ? ઉત્તર–શિક્ષકને આપવામાં વાંધો લાગતો નથી પરંતુ જૈન શિક્ષક હોય ને તે લેવા ના પાડે તે ન આપવું. વિદ્યાથીને તો ન જ અપાય. પ્રશ્ન – દ્રવ્ય વિના ભાવ પ્રગટ થાય ? ન થાય તે મરુદેવી માતાને દવ્યચારિત્ર સિવાય ભાવચારિત્રની પ્રાપ્તિ કેમ થઈ ? ઉત્તર-દ્રવ્ય વિના ભાવની પ્રાપ્તિ ન થાય એમ એકાંતે સમજવું નહીં. ગૃહસ્થને દ્રવ્યની વિશેષ અપેક્ષા છે. મુનિને દ્રવ્યપૂજા વિના ભાવપૂજા થાય છે તેમ બીજી બાબત માટે પણ સમજવું. પ્રશ્ન પ–ધર્મના પ્રવર્તક પુરુષ જ હોય કે સ્ત્રી પણ હોય? ઉત્તર—ધર્મના પ્રવર્તક તરીકે જે તીર્થકરને જ ગણો તો પુરુષ જ ડાય. અનંત કાળે કે સ્ત્રી પણ તીર્થકર હોય પરંતુ તે આશ્ચર્ય ગણાય. પ્રશ્ન તીર્થકરે જ અરિહંત કહેવાય કે સામાન્ય કેવળી પણ કહેવાય? ઉત્તર–અરિહંત શબ્દનો અર્થ સામાન્ય કેવળીમાં પણ ઘટે છે પરંતુ શાસ્ત્રમાં અરિહંત શબ્દ તીર્થકર માટે જ વાપરેલ છે, કારણ કે તેને બાર 'વાળ કહ્યા છે તે ગુણો સામાન્ય કેવળીમાં ન હોય. પ્રશ્ન છ–વાડીલાલ મોતીલાલે આત્માની શક્તિઓ અંતઃકરણમાં રહે છે એમ લખ્યું છે તે બરાબર છે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46