________________
૧૧૬
જેન ચિત્રકલપકુમ जलाद् रक्षेत् स्थलान् रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ।। अग्ने रक्षेत् जलाद् रक्षेत्, मूषकेभ्यो विशेषतः । कप्टेन लिखित शास्त्र, यत्नेन परिपालयेत् ॥ उदकानिलचौरेभ्यो, मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखित शावं, यत्नेन परिपालयेत् ।।
આ સિવાય જ્ઞાનભંડારને રાખવાનાં સ્થાને ભેજરહિત હોવાં જોઈએ એ કહેવાની જરૂરત ન જ હેય. મનપંચમી અને જ્ઞાનપૂજા ઉપર અમે પુસ્તક અને જ્ઞાનભંડારોને જે જે વસ્તુઓથી હાનિ પહોંચે છે તેને તેમજ તેનાથી જ્ઞાનભંડારને કેમ બચાવવા એ વિષે ઉલ્લેખ કર્યો હવે એ જ્ઞાનભંડારોની રક્ષા માટે જેને સંસ્કૃતિએ એક ખાસ પર્વની,–જેનું નામ “જ્ઞાનપંચમી' કહેવાય છે તેની,–જે પેજના કરી છે અને અહીં પરિચય આપવામાં આવે છે.
જન સંપ્રદાયમાં કાર્તિક શુક્લ પંચમીના દિવસને “જ્ઞાનપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું માહાસ્ય દરેક મહિનાની શુક્લ પંચમી કરતા વધારે ગાવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે વર્ષાઋતુમાં જ્ઞાનભંડારામ પેસી ગએલી થોડી કે ઘણી ભેજવાળી હવાથી પુસ્તકને નુકસાન ન પહોચે અને સાધારણ રીતે પુસ્તકે તેમની મૂળ સ્થિતિમાં ચાલુ ટકી રહે એ માટે તેમને તાપ દેખાડવો જોઈએ; તેમજ ચેમાસાની ઋતુમાં જ્ઞાનભંડારાને,–ભેજવાળી હવા ન લાગે એ માટે,–બંધબારણે રાખેલા હેઈ તેની આસપાસ વળેલ ધૂળકચરાને સાફ કરવો જોઈએ, જેથી ઉધેઈ આદિ જીવજંતુઓની ઉત્પત્તિ ન થાય; તદુપરાંત પુસ્તકમાં જીવાત વગેરે ન પડે એ માટે મૂકેલી ઘોડાવજ આદિની પિટલીએ વર્ષ આખરે નિર્માલ્ય બની ગઈ હઈ તેને બદલવી જોઈએ; પુસ્તક રાખવાનાં મકાન, દાબડા, કબાટ, પાટી-પાઠાં, બંધન વગરે ખરાબ થઈ ગયાં હોય તેને સુધારવાં કે બદલવાં જોઈએ. આ બધુ કરવા માટે સૌથી વધારે અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક મહિનો ગણાય, જ્યારે શરદ ઋતુની પ્રૌઢાવસ્થા હેઈ સૂર્યને તીખો તાપ હોવા ઉપરાત ભેજવાળી હવાને તદ્દન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારોના હેરફેરનું શ્રમભર્યું તેમજ ખરચાળ કાર્ય સદાય અમુક એકાદ વ્યક્તિને કરવુ કંટાળાજનક તેમજ અગવડતાભર્યું થાય'—જાણી કુશળ જૈનાચાર્યોએ કાર્તિક શુક્લ પંચમીને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભક્તિ અને જ્ઞાનપૂજાનું રહસ્ય, તેનાથી થતા લાભે આદિ સમજાવી એ તિથિને “જ્ઞાનપંચમી' તરીકે ઓળખાવી એનું માહામ્ય વધારી દીધું અને જૈન પ્રજાને જ્ઞાનભક્તિ-સાહિત્યસેવાના માર્ગ તરફ દોરી. જૈન જનતા પણ તે દિવસને માટે પોતાના સંપૂર્ણ ગૃહવ્યાપારને ત્યાગ કરી યથાશય આહારાદિકને નિયમ, પૌપધવત આદિ સ્વીકારી જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં સહાયક થવા લાગી, એટલું જ નહિ પણ જ્ઞાનપૂજાને બહાને જ્ઞાનભંડાર અને પુસ્તકને માટે ઉપયોગી એવા સાધને પણ હાજર થવા લાગ્યાં જે ઉદ્દેશથી ઉક્ત પર્વનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે એને તે આજની જનતાએ પોતાના સ્વભાવ પ્રમાણે અભરાઈ ઉપર મૂક્યું છે; અર્થાત જ્ઞાનભંડારો તપાસવા, તેમાં કચરો વાળી સાફ કરો, પુસ્તકોને તડકો દેખાડો, બગડી કે ચાંટી ગએલાં પુસ્તકો સુધારવા, તેમાં જીવાત ન પડે એ માટે મૂકેલી ઘોડાવજ