Book Title: Jain Chitra Kalpadruma
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 100
________________ જેન ચિત્રકામ સ્ત્રી પરિવાર આદિની પ્રતિકૃતિઓ મળી આવી છે. મંત્રી કર્મણે પંદરમી સદીમાં થઈ ગએલા આચાર્યશ્રી સોમજયસૂરિને અમદાવાદથી આવતાં આગ્રહ કરતાં મહીસમુદ્રને વાચક પદ અપાવ્યું હતું (જુઓ ગુરુગણરત્નાકર કાવ્યો. પરંતુ આ પ્રતની ચિત્રકળા તેરમા અગર ચોદમા સૈકાથી અર્વાચીન તે નથી જ તેથી પ્રત લખાવનાર કર્મણ બીજા હેવા જોઈએ. ગુજરાતની કપડાં ઉપરની જેનાશ્રિત કળા આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કપડાં ઉપર ચીતરેલાં ચિત્રો પણ મળી આવે છે. કપડાં ઉપરનાં ચિત્ર ૫કીનું પ્રાચીનમાં પ્રાચીન એક ચિત્ર પાટણના સંધના ભંડારમાં આવેલી “ધર્મવિધિમકરણ અને કાલી રાસની ખાદીના બે ટુકડા ચોટાડીને તૈયાર કરેલી પ્રતિ ઉપર માત્ર સરસ્વતી દેવીની ચીતરેલી સાદી આકૃતિનું છે (લેખન વિ.ચિ.નં.૭). આને લખ્યા સંવત ૧૪૦૮ છે. ત્યાર પછીના ક્રમમાં પ્રવર્તક કાંતિવિજયજીના પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રીજશવિજયજીના સંગ્રહમાં સંવત ૧૪૫૩ (ઇ.સ. ૧૩૯૬)માં લખાએલ સંગ્રહણને કપડાં ઉપરનો પટ આવે છે, જેમાંની આકૃતિઓ બહુ જ ધસાઈ ગએલી હેવાથી તેના નમૂનાઓ અત્રે રજુ કરી શક્યો નથી. પછી સંઘવીને પાડાના ભંડારમાં સંવત ૧૪૯ (ઈ.સ. ૧૪૩૩)માં ચાપાનેર મુકામે લખાએલા પંચતીર્થી પટને વારો આવે છે. એ પટ પાવાગઢ ઉપરનાં જૈન કતાબર મંદિરની તે સમયની હયાતીના ઐતિહાસિક પુરાવા રૂપ છે. મુનિશ્રી પુણ્યવિજયજી પિતાના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામના લેખના પૃ. ૨૭ની કુટનોટ ૩૩માં જણાવે છે તે પ્રમાણે, આ ચિત્રપટને પરિચય શ્રીયુત એન. સી. મહેતાએ ફોટોગ્રાફ સાથે સ. ૧૯૩૨ના ઇન્ડિયન આર્ટ એન્ડ લેટર્સ'ના પૃથ ૭૧-૭૮માં A picture-roll from Gujarat (A.D. 1433) શીર્ષક લેખમાં આપેલ હેવાથી અને તે મૂળ પટ શ્રીયુત મહેતા પાસે જ હેવાથી તેના ચિત્રો અને રજુ કરી શકાયા નથી, પરંતુ આ એતિહાસિક પટ મુનિબી પુણ્યવિજયજીએ પાછો મંગાવી લદને ભડારના વહીવટદારને સુપ્રત કરવાની જરૂરિયાત છે, કારણકે આજે પાવાગઢ ઉપર એક પણ કતાબર જૈન મંદિર હસ્તીમાં નથી. ઇતિહાસવેતાઓએ આ સબંધી તપાસ કરીને પાવાગઢ ઉપરના શ્વેતાંબર સંપ્રદાયનાં જૈન મંદિરોનું સ્થાન દિગંબર જૈન મંદિરોએ ક્યારથી અને ક્યારે લીધું તે બહાર લાવવાની જરૂર છે. શ્રીયુત મહેતાએ આ ચિત્રપટનો પરિચય કરાવતા જે ગંભીર અને અક્ષમ્ય એતિહાસિક ભૂલો કરી છે તે નીચે પ્રમાણે છે: “But it (Champaner) was once an important military centre of Western Gujarat under its Hindu sovereign Vanaraja Chavada and bis famous Jaina minister Shilguna Suri. The inscribed images of both these important personages in the history of Gujarat are preserved in the

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255