________________
જેન ચિત્રકલ્પદ્રુમ શિa૧૨ શ્રી હેમચંદ્રસૂરિ. પાટણના સં. પા. ભંડારની, ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રના અંતિમ પર્વ (મહાવીર ચરિત્ર)ની, વિ. સં. ૧૨૯૪ (ઈ.સ. ૧૯૩૭)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતનાં પ્રશસ્તિનાં છેલ્લાં ત્રણ પત્ર પૈકીના પ્રથમ પત્ર ઉપરથી લેવાએલું, શ્રી હેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધિમાં આવેલું આ ચિત્ર તેરમા સૈકાના સાધુઓના રીતિરિવાજ તથા પહેરવેશનું સંપૂર્ણ દિગ્ગદર્શન કરાવે છે. ચિત્રમાં વચ્ચે સિંહાસન ઉપર શ્રી હેમચંદ્રસૂરિ બેઠેલા છે. પાછળ એક શિષ્ય કપડું હાથમાં રાખીને ગુરુની સુશ્રષા કરતો દેખાય છે. પ્રાચીન ચિત્રામાં જેમ રાજાઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા અને સિંહાસનની પાછળ ચામર ધરનાર ચીનરાતા તેવી જ રીતે જૈનશાસનરૂપી રાજ્યના રાજવીઓ જેવા પ્રભાવિક રાજધાન્ય આચાર્યોનાં ચિત્રોમાં પણ તેઓને સુવર્ણ સિહાસન ઉપર બેઠેલા અને સિંહાસનની પાછળ શિષ્ય સુશ્રુષા કરતા ચીતરેલા હોય છે, જે તેઓની બહુમાનનાનું સૂચન કરે છે). સામે બેઠેલા શિષ્ય હાથમાં તાડપત્ર રાખીને ગુરની પાસે વાચના લેતા હોય એમ લાગે છે.
શ્રી હેમચંદ્રસૂરિના ડાબા હાથમાં મુહપત્તિ છે અને જમણે હાથ પ્રવચન મુદ્રાએ રાખેલ છે. ૨ શિવ પરમાત કુમારપળ. ચિવ નં. ૧૨ વાળી પ્રતના છેવટની પ્રશસ્તિના બીજા પુત્ર ઉપરથી લીધેલું ગૂર્જરેશ્વર મહારાજધિરાજ પરમહંત શ્રી કુમારપાળના નામથી પ્રસિદ્ધિમાં આવેલું આ ચિત્ર તેરમા સૈકાના વૈભવશાલી ગૃહસ્થોના રીતિરિવાજ-પહેરવેશના સુંદર પુરાવા રૂપે બહુ જ અગત્યનું છે. કુમારપાળ પિતે અંજલિમુદ્રા એ બંને હાથમાં ઉત્તરાસંગને છેડે પકડીને, અને જમણે ઢીંચણ જમીનને અડાડીને ડાબે ઢીંચણ ઊભો રાખીને ગુરુમહારાજને ઉપદેશ શ્રવણ કરતા દેખાય છે. મૂળમાં પાયજામે તથા કોટ વાદળી રંગના આલેખેલાં છે અને તે જરીથી ભરેલાં બતાવવા ચિત્રકારે મૂળ ચિત્રમાં પીળા રંગને ઉપયોગ કરેલો છે. અગાઉ આપણે જાણી ગયા છીએ તેમ મસ્તકની પાછળ વાળને અંબોડે વાળેલો સ્પષ્ટ દેખાય છે. ચિવ શ્રાવિકા શ્રીદેવી. એ જ પ્રતની પ્રશરિતના ત્રીજા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યુ છે
અને તે તેરમા સૈકાના વૈભવશાલી ગૃહસ્થની સ્ત્રીઓના પહેરવેશને સુંદર ખ્યાલ આપે છે. ચિત્ર નંબર ૧૩ માના આલેખન પ્રમાણે અંજલિ જેડીને બેઠેલી આ સ્ત્રીનું નામ શ્રીદેવી છે અને જે દિશા પાલવંશની છે તેવું પ્રશસ્તિ ઉપરથી જણાય છે. તેના માથાનો ભાગ આપણે અગાઉ
१२ दक्षिणानुष्ठेन तर्जनी संयोज्य शेषाङ्गुलीप्रसारणेन वामहस्त हुदिन्यसेत् ततः प्रवचनमुद्रा ॥ ६ ॥ सूरिमन्त्रनित्यकर्म पृष्ठ १. १७ उत्तानो किबिदाकुञ्चितकरशाखौ पाणी विधारयदिति अंजलिमुद्रा ॥१॥ निर्वाणकालिका पृष्ठ ३३. ૧૪ ન ગૃહરા આજે પણ જિનમંદિરમાં પ્રભુ સન્મુખ ચૈત્યવંદન કરતાં તેમ ઉપાશ્રયમાં ગુરુમહારાજ સન્મુખ ન્યાખ્યાન શ્રવણ કરતાં આ પ્રમાણે જ બેસે છે. જે સાબિતી આપે છે કે આ પ્રથા આજે સાત વર્ષ થયાં હજુ પણ જેમની તેમ પ્રચલિત છે. १५ संवत १२९४ वर्षे चैत्र वदि ६ सोमे लिखितमिदं श्रीमहावीरचरित्र पुस्तक लेख. महिणलेन इति મકા અંજ માથી