Book Title: Jain Chitra Kalpadruma
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 166
________________ ૧૮૦. જન ચિત્રકલ્પદ્રુમ કપતો હતો તે હવે બિલકુલ નિષ્ઠપ થઈ ગયો એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શોકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઊતરી પડયાં. ચિત્રમાં માતાના મુખ ઉપર શકની અનહદ છાયા ઊતારવામાં ચિત્રકારે પૂરેપૂરી સફળતા મેળવી છે, ડાબા હાથની હથેળી ઉપર માતાએ મુખને ટેકવેલું છે, અને જમણો હાથ આ શું થઈ ગયુ એવી વિસ્મયતા સૂચન કરને રાખેલ છે. સામે બે દાસીઓ આશ્વાસન આપતી દેખાય છે. તેઓ પણ શોકસાગરમાં ડુબેલી છે. ઉપરની છતમાં ચંદરો બાંધેલો છે. શિશ ૨૪ સાધુ સામાચારીને એક પ્રસંગ. કાંતિવિ. ૧ ને પાના ૯૧ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. પ્રસંગના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ભીંતમાં પણ સ્ત્રીનું ચિત્ર ચીતરેલું હોય ત્યાં બ્રહ્મચારી એવા સાધુને રહેવું કલ્પે નહિ તે પ્રસંગને અનુસરીને સ્ત્રીનું ચિત્ર ચીતરેલું છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેનો સાધુને વહેરાવવાને પ્રસંગ જેવાને છે. જમણા હાથમાં દાંડે તથા ડાબા હાથના પાત્રમાં સાધુ કાંઈક વહેરના જણાય છે અને સામે ઊભેલે ગૃહસ્થ તેમને વહેરાવતે હેય એમ લાગે છે. પાસે સળગતા અચિવાળા ચૂલા ઉપર ત્રણ હાંલ્લીએ ચડાવેલી દેખાય છે. આ પ્રસંગ ચીતરીને જૈન સાધુ સળગતા અમિ ઉપરના વાસણમાં રહેલા આહારને વહેરી શકે નહિ તેમ બતાવવાને ચિત્રકારને આશય હોય એમ લાગે છે. ચિત્ર ૨૭૫ આર્ય ધર્મ ઉપર દેવે ધરેલું છત્ર. હંસવિ. ૧ ના પાના 9૩ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. કથાના પરિટ્યની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. “શી લબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહત્સવમાં દેએ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું સુત્રત ગોવાળા આર્યધર્મને હું વંદું છું.૩ આર્યધ બે હાથ જોડીને ગુસ્ની સન્મુખ બેઠા છે. ગુરમહારાજ માથે વાસક્ષેપ નાખતા દેખાય છે. ગુરની પાછળ એક નાના સાધુ હાથમા દંડ, પાત્ર તથા બગલમાં એ રાખીને ઊભા છે. આર્યધર્મની પાછળ દેવ પિતાના જમણા હાથથી છત્ર પકડીને તેઓના ભરતક ઉપર ધરના ઉભો છે. દેવને ચાર હાથ છે. દેવના પાછળના જમણા હાથમાં દંડ છે. ઉપરના ભાગમાં બે પોપટ ચીતરેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેનો ચતુર્વિધ સંધના વદનને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બે સાધુઓ, બે શ્રાવકો તથા બે શ્રાવિકાઓ એ હસ્તની અંજલિ જોડીને શ્રી આર્યધર્મની સ્તુતિ-બહુમાન કરતાં દેખાય છે. ચિવ ૨૬ ચતુર્વિધ સંઘ. વિ. ૧ના પાના ૮૬ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાંથી અનુક્રમે પહેલી લાઇનમાં છ દે, બીજીમા પાચ દેવીઓ, ત્રીજમાં પાંચ સાધુઓ, ચોથીમાં પાચ સાળીઆ, પાચમીમાં પાંચ મૃત તથા છઠ્ઠી-છેલ્લી લાઈનમાં પાંચ શ્રાવિકાઓ વગેરે ચતુર્વિધ સંઘ શ્રમણ ભગવાન મહાવીરના ગુણગાન કરતો દેખાય છે. પંદરમા સૈકામાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિક એના પહેરવેશની સુંદર રજુઆત આ ચિત્ર કરે છે. ५३ वंदामि अज्जधम्म च सुव्ययं सीललद्धीसंपन। जम निक्खमाणे देवो. छम बग्मुत्तमं बद्दइ ॥३५॥७॥

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255