________________
સંગ્રહણીસૂત્રનાં ચિત્રો
જૈનદર્શનનું વિશાલ સાહિત્ય દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણનુયાગ અને ધર્મકથાનુયોગ
એ પ્રમાણે ચાર વિભાગમાં વિભક્ત થએલું જોવાય છે. जाति अज्जवइरा अपहुक्तं कालिआणुओगस्स । तेणारेण पुहुक्तं कालियसुयदिद्विवाए य ॥१॥ अपुहुत्तेऽणुओगो चत्तारिदुवारभासह एगो । पुहुनाणुओगकरणे ते अत्त्य तओ वि वोच्छिना ॥२॥ देविंदवदिएहि महाणुभावेहिं रक्सियज्बेहिं । जुगमासज्जविभत्तो अणुओगो तो कओ चउहा ॥ ३ ॥
વિશે પાવર મા] ભાષ્યસુધાબેનિધિ શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજના એ વચનથી એટલું જાણી શકાય છે કે ભગવાન આર્યવસ્વામીજી મહારાજના સમય પર્યત પ્રત્યેક સૂત્ર ઉપર ચારે અયોગ ગર્ભિત વ્યાખ્યાઓ થતી હતી. ત્યાર બાદ શ્રીમાન આરક્ષિતરિજી મહારાજે બુદ્ધિમાઘ વગેરે કારણેથી ગૌણમુખ્યની અપેક્ષા રાખી જે સૂત્રમાં જે અનુયોગનું પ્રાધાન્ય હોય તે અનુયાગની વ્યાખ્યાનું પ્રધાનપદ રાખવા પૂર્વક પ્રત્યેક સૂત્રમાં દ્રવ્યાનુયોગ પ્રમુખ એક અનુયાગની વ્યાખ્યા કાયમ રાખેલ જે અદ્યાપિ પર્યત (તે પ્રમાણે) જોવામાં આવે છે.
. દ્રવ્યાનુયોગ પ્રમુખ એ ચારે અનુયોગ પૈકી પ્રથમ દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય, એ પદ્રવ્યનું વ્યાસ્તિક નયની અપેક્ષાએ પ્રૌવ્ય અને પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ, પદ્ધવ્યના અતીત અનાગત અનન અનઃ પર્યાય, જીવદવ્ય અને પુતદ્રવ્યને અનુસરતા અધ્યાત્મવાદ તેમજ કર્મવાદ, સપ્તભંગી, સપ્તનય ઇત્યાદિ સર્વ વિષયોનો સમાવેશ થાય છે. ચિત્તની એકાગ્રતા વિના આ અનુયેગનું રહસ્ય બુદ્ધિમાં ઊતરવું ઘણું જ કઠિન છે. “વિણ રંગ નહી” એ આપવાક્ય પ્રમાણે આ દ્રવ્યાનુયોગનું શ્રવણ મનન અને નિદિધ્યાસન દર્શનશુદ્ધિનું અનુપમ સાધન છે. શ્રી સૂયગડાગ, ઠાણાંગ, ભગવતીજી વગેરે આગમગ્રન્થ તેમજ શ્રી કર્મપ્રકૃતિ-પંચસંગ્રહ-સપ્તતિતાકર્મઅન્ય પર્વને ઝરણાઓ આ અનુયોગથી સંપૂર્ણ ભરેલા છે.
ક્ષેત્રા, પર્વત, નદીઓ, દીપ, સમુદ્રો વગેરે પદાર્થોના વર્ણન સાથે તે તે ક્ષેત્ર વગેરેનું ક્ષેત્રફળ, ઘનફળ, છવા, પરિધિ, ધન,બાહા એ અને તેને અનુસરતા વિષયોને ગણિતાનુયોગમાં સમાવેશ થાય છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સુર્યપ્રાપ્તિ, દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, ક્ષેત્રસમાસ, ક્ષેત્ર પ્રકાશ વગેરે જો આ અનુયોગના પ્રતિપાદન કરનારા છે.
ચરણકરણનુગ એ આચારપ્રધાન અનુયોગ છે. વિધિનિષેધના ઉત્સર્ગ અપવાદના સર્વે માર્ગોનું પૃથકકરણ આ વિષયના પ્રતિપાદક આચારાંગછ પંચાશક વગેરે મહાગ્રન્થામાં જોવાય છે. ચરણસિરારિ, કરણસિરારિ વગેરે ક્રિયાકલાપનું જ્ઞાન તેથી વિશેષ થવા પામે છે. ધર્મકથાનુયોગ નામના ચતુર્થ અનુગમાં ધર્માચરણું પ્રધાન અનેક મહાન આત્માઓના જ્વલંત છવનચરિત્રને અન્તર્ભાવ થાય છે. મિથ્યાત્વ-અજ્ઞાન પ્રમુખ અધસ્તનીય ભૂમિકાઓમાં અનાદિ કાળથી વસતા