________________
જેન ચિત્રકામ સ્ત્રી પરિવાર આદિની પ્રતિકૃતિઓ મળી આવી છે. મંત્રી કર્મણે પંદરમી સદીમાં થઈ ગએલા આચાર્યશ્રી સોમજયસૂરિને અમદાવાદથી આવતાં આગ્રહ કરતાં મહીસમુદ્રને વાચક પદ અપાવ્યું હતું (જુઓ ગુરુગણરત્નાકર કાવ્યો. પરંતુ આ પ્રતની ચિત્રકળા તેરમા અગર ચોદમા સૈકાથી અર્વાચીન તે નથી જ તેથી પ્રત લખાવનાર કર્મણ બીજા હેવા જોઈએ.
ગુજરાતની કપડાં ઉપરની જેનાશ્રિત કળા
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કપડાં ઉપર ચીતરેલાં ચિત્રો પણ મળી આવે છે. કપડાં ઉપરનાં ચિત્ર ૫કીનું પ્રાચીનમાં પ્રાચીન એક ચિત્ર પાટણના સંધના ભંડારમાં આવેલી “ધર્મવિધિમકરણ અને કાલી રાસની ખાદીના બે ટુકડા ચોટાડીને તૈયાર કરેલી પ્રતિ ઉપર માત્ર સરસ્વતી દેવીની ચીતરેલી સાદી આકૃતિનું છે (લેખન વિ.ચિ.નં.૭). આને લખ્યા સંવત ૧૪૦૮ છે. ત્યાર પછીના ક્રમમાં પ્રવર્તક કાંતિવિજયજીના પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રીજશવિજયજીના સંગ્રહમાં સંવત ૧૪૫૩ (ઇ.સ. ૧૩૯૬)માં લખાએલ સંગ્રહણને કપડાં ઉપરનો પટ આવે છે, જેમાંની આકૃતિઓ બહુ જ ધસાઈ ગએલી હેવાથી તેના નમૂનાઓ અત્રે રજુ કરી શક્યો નથી. પછી સંઘવીને પાડાના ભંડારમાં સંવત ૧૪૯ (ઈ.સ. ૧૪૩૩)માં ચાપાનેર મુકામે લખાએલા પંચતીર્થી પટને વારો આવે છે. એ પટ પાવાગઢ ઉપરનાં જૈન કતાબર મંદિરની તે સમયની હયાતીના ઐતિહાસિક પુરાવા રૂપ છે. મુનિશ્રી પુણ્યવિજયજી પિતાના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામના લેખના પૃ. ૨૭ની કુટનોટ ૩૩માં જણાવે છે તે પ્રમાણે, આ ચિત્રપટને પરિચય શ્રીયુત એન. સી. મહેતાએ ફોટોગ્રાફ સાથે સ. ૧૯૩૨ના ઇન્ડિયન આર્ટ એન્ડ લેટર્સ'ના પૃથ ૭૧-૭૮માં A picture-roll from Gujarat (A.D. 1433) શીર્ષક લેખમાં આપેલ હેવાથી અને તે મૂળ પટ શ્રીયુત મહેતા પાસે જ હેવાથી તેના ચિત્રો અને રજુ કરી શકાયા નથી, પરંતુ આ એતિહાસિક પટ મુનિબી પુણ્યવિજયજીએ પાછો મંગાવી લદને ભડારના વહીવટદારને સુપ્રત કરવાની જરૂરિયાત છે, કારણકે આજે પાવાગઢ ઉપર એક પણ કતાબર જૈન મંદિર હસ્તીમાં નથી. ઇતિહાસવેતાઓએ આ સબંધી તપાસ કરીને પાવાગઢ ઉપરના શ્વેતાંબર સંપ્રદાયનાં જૈન મંદિરોનું સ્થાન દિગંબર જૈન મંદિરોએ ક્યારથી અને ક્યારે લીધું તે બહાર લાવવાની જરૂર છે.
શ્રીયુત મહેતાએ આ ચિત્રપટનો પરિચય કરાવતા જે ગંભીર અને અક્ષમ્ય એતિહાસિક ભૂલો કરી છે તે નીચે પ્રમાણે છે:
“But it (Champaner) was once an important military centre of Western Gujarat under its Hindu sovereign Vanaraja Chavada and bis famous Jaina minister Shilguna Suri. The inscribed images of both these important personages in the history of Gujarat are preserved in the