Book Title: Jain Adarsh Prasango Part 10 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 8
________________ *** નથી. શિકારી એ ઘણી વિનંતી કરી પણ શેઠ હા કેવી રીતે પાડે! છેવટે શિકારીએ આંખમાં આંસુ સાથે શેઠના પગ પકડ્યા કે શેઠ કોઈપણ હિસાબે મને નોકરીમાં રાખી લો. હું હવે અહીંથી ક્યાંય - જવાનો નથી. કાયમ માટે મેં શિકારનો ધંધો છોડી દીધો છે. = છેવટે શેઠનું હૃદય પીગળી ગયું. ચોકીદાર તરીકે તેને રાખી લીધો. ઘણાં વર્ષો ચોકીદાર તરીકે ત્યાં રહ્યો અને દાદાની ભક્તિ કરી. એક આચાર્ય ભગવંતને જ્યારે મળ્યો ત્યારે તેણે પોતાની આત્મકથા કીધી હતી. “પ્રભુદરિશનથી સમકિત પ્રગટે' એ પંક્તિઓ લખાઈ છે. પરમાત્માના દર્શન માત્રથી નાસ્તિક પણ આસ્તિક બની શકે છે. જેમ અભયકુમારે મોકલેલી પ્રતિમાના દર્શનથી આદ્રકુમાર બોધ પામ્યો અને સંયમ સુધી પહોંચ્યો, તેમ શિકારીના જીવનમાં હૃદય પરિવર્તન આવ્યું. આને કહેવાય કે પ્રભુ મળ્યા એમ નહી, પ્રભુ ફળ્યા. આપણા જીવનમાં, વ્યવહારમાં સતત પ્રભુની આજ્ઞા મુખ્ય બને તો જ પ્રભુ આપણને ફળ્યા કહેવાય ! ૩. સસરાની ભક્તિ અમદાવાદના એ શ્રાવક ને ભયંકર તકલીફ આવી. કીડની બંને ફેઈલ થઈ ગઈ. અરજન્ટ કીડની બદલવાની જરૂર ઉભી થઈ. નવી પરણીને આવેલી પૂત્રવધુ એ ઉત્તમ ભાવપૂર્વક પોતાની એક કીડની સસરાને દાનમાં આપી અને સસરાનું જીવન બચાવી લીધું. ધન્યવાદ છે આવી પૂત્રવધુઓને !! Jain Education ૪. દિલની અમીરાઈ અમદાવાદના એક સંઘમાં એક પુન્યશાળી દિકરા સાથે મળવા આવ્યા. દીકરો કામ માટે નજીકમાં ક્યાંક જઈને પાછો પિતાજીને પાણી ઉકાળો તો પુણ્ય, વાણી ઉકાળો તો પાપ. ellee Only www.jainelibary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52