Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 28
________________ - - - - - - - - - - - - - - ૨૬ - - - - - - - - - - - - - આગળ વધતાં પંકજભાઈએ ૧૬ ઉપવાસ કર્યા જેનું પારણું આયંબિલથી કર્યું હતું. આસો મહિનામાં સજોડે વર્ધમાન તપનો પાયો નાંખ્યો. કોઈના લગ્ન પ્રસંગે જમવા જાય ત્યારે પણ બધાની વચ્ચે થાળી ધોઈને પીવે. ઘણા બધા જોયા કરે. કોઈ પૂછે તો જણાવે કે આ એંઠવાડમાં ૪૮ મિનિટ પછી આપણા જેવા સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્યો અસંખ્યાતા ઉત્પન્ન થાય અને મરે. આ જીવોની વિરાધનાથી બચવા થાળી ધોઈને પીએ છીએ. આનાથી ૧ આયંબિલનો લાભ થાય. ધન્યવાદ છે સાબરમતીના આ યુગલને !! ૧૮. ભર ગરમીમાં ઉપધાન તપ , છેલ્લા ૭-૮ વર્ષોથી ઉનાળાની ભયંકર ગરમીમાં સેકંડો બાળકો ૯૯ યાત્રા કરી રહ્યા છે. એ જાણ્યા પછી ઘણી વાર વિચારતો કે ઉનાળામાં શું ઉપધાન ન થઈ શકે? વિદ્યાર્થીઓને ૨ મહિનાના વેકેશનમાં ઘણો લાભ થઈ જાય. ખરેખર વિ.સં. ૨૦૬૭ નો ઉનાળો આની શરૂઆત માટે અમર થઈ ગયો. પૂ. મુનિશ્રી સંયમબોધિ વિ.મ.સા.ની પ્રેરણાથી પૂના પાસેના પાર્શ્વ પ્રજ્ઞાલય તલેગાંવ તીર્થમાં આશરે ૬ થી ૨૦ વર્ષના મીની શ્રાવકો-શ્રાવિકાઓએ ૪૭ દિવસના ઉપધાન તપ ચ.વ.૬, પૂ.આ.ભુવનભાનુસૂરીશ્વરજી ની જન્મ શતાબ્દિ વર્ષના દિવસથી શરૂ કર્યા. આશરે ૩૦૦ બાળકો-બાલિકાઓએ ઉપધાનની માળ પહેરી. ભાવથી બોલજો કે “ગાજે જે ગાજે છે મહાવીરનું શાસન ગાજે છે શાશ્વતા શત્રુજ્ય ગિરિરાજની શાશ્વતી ટૂંક ગિરનાર તીર્થ કે જેના પર આવતી ચોવીશીના બધા ભગવાન નિર્વાણ પામવાના છે ત્યાં પણ ઉનાળાની ભયંકર ગરમીમાં ૪૦ જેટલા યુવાનોએ અઢારિયાની આરાધના ભાવોલ્લાસથી પૂર્ણ કરી. ( ઘોડો બનીને ખુશ કરનાર બાપને ગધેડાની જેમ ડફણા તો નહીજને (?) ) Jain severe - eretene - --- --- ---- - enemorary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52