Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 33
________________ ૪૩૧ * વિ.સં.૨૦૫૭ની સાલમાં પં.ધનંજ્યભાઈએ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં રહીને, એકવીશ દિવસ સુધી પોતાના મુંબઈના બધા બાહ્ય સંપર્કો તોડી નાંખીને, સળંગ એકવીશ આયંબિલ કરવાપૂર્વક પરમતારકશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતનો મંત્ર જાપ ૧,૦૮,૦૦૦ ની સંખ્યામાં કર્યો હતો. આવી પ્રભુભક્તિના તેમને મળેલા શુભ સંસ્કારોનું મૂળ સુપ્રસિધ્ધ વક્તા પૂ.પંન્યાસપ્રવર શ્રી ગુરુદેવ શ્રી ચન્દ્રશેખર વિજયજી મ.ની અને તેમના પિતા-ગુરુદેવ પૂ.મુનિરાજશ્રી જયચન્દ્રવિજયજી મ.ની તથા તેમના માતાસાધ્વીશ્રી સ્વ.પદ્મયશાશ્રીજી મ.સા.ની પરમકૃપા જ છે. ૨૩. સિધ્ધાચલગિરિ નમો નમઃ શત્રુંજ્ય ગિરિરાજના દાદાની ભક્તિ કરનાર એક પૂજારીજી રોજ દાદાને ૧૦૮ ખમાસમણા આપે છે. યોગેશભાઈએ રોજના ૨૦૦૦ ખમાસમણા આપવા દ્વારા ૧૫ વર્ષમાં ૩ ક્રોડ ખમાસમણા દાદાને આપ્યા છે. ૧૬ દિવસમાં ૯૯ જાત્રા પુરી કરનાર ભાગ્યશાળી પણ છે. મુંબઈના સમકિત ગ્રુપના ‘શત્રુંજ્ય સત્કાર’ આયોજનમાં શત્રુંજ્ય ગિરિરાજ ઉપર જ્યાં જ્યાં કચરો ભેગો થયો તેને એકઠો કરી શુદ્ધિ માટે યુવાનો શત્રુંજ્ય પર ભેગા થયા. બિસ્કીટના પેકેટો ટન બંધ નીકળ્યા, કોથળીઓ, ચંપલો આદિ અનેક વસ્તુઓનું વજન પણ ટનમાં હતું. કુંડોમાંથી પણ કેટલાય કચરાની નીકળ્યા તો છોકરાઓના ડાયપર પણ ઘણા નીકળ્યા. શત્રુંજ્ય ગિરિરાજ શાશ્વતુ તીર્થ છે ત્યાં ફૂંકાય પણ નહિ તો પછી આટલા કચરા કેવી રીતે નંખાયા. આપણે સંકલ્પ કરીએ કે અમે ક્યારેય કોઈ કચરો ગિરિરાજમાં નહિ નાંખીએ. Jain Education inter ઉકળતા નહિ ઉછળતા ભાવે ધર્મ કરો. Omy www.jammenbrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52