Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 45
________________ ૪૩** વ્યવસ્થિત બેસી ન શકે. શરીરના ડાબી બાજુના અંગમાં પેરેલેસીસનો હુમલો આવી ચૂક્યો હતો. માંડ-માંડ બ્લડ લેવરાવ્યું. ત્યાંથી સીધા ‘સીટી સ્કેન' કરાવવા મલાડની અન્ય હોસ્પિટલમાં લઈ ગયાં. માતુશ્રીનું અસંબદ્ધ બોલવાનું ચાલુ હતું. પણ મનમાં નવકાર-જાપ અને અન્ય મંત્ર-સ્મરણ ચાલુ હતાં. સીટી સ્કેન વગેરેના રીપોર્ટને ફોન દ્વારા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટરને જણાવ્યાં. તેમની સૂચના અનુસાર ડૉ.પંકજ ગાંધીના દવાખાને દાખલ કરાયાં. તે સમયે રાત્રે લગભગ ૯-૩૦ વાગી ચૂક્યા હતાં. ડૉક્ટરે દર્દીને તપાસી.. કેસની ગંભીરતા જાણી લીધી. મારા પિતાજીને ડૉક્ટરે કહ્યું, ‘હું ટ્રાય કરુ છું છતાં કેસ ગંભીર છે.’ રાત્રે ૧૨ વાગે પિતાજી ઘરે જવા નીકળ્યા. મારા માતુશ્રી બોલ્યા કે ‘આપણા ઘરે ઘરમંદિર છે ને ? શીતલનાથ ભગવાનની આરતી આજે રહી ગઈ છે. જઈને ઊતારી લેજો અને ભગવાનના અંગલૂછણાં મેં પલાળેલા, તે ધોઈ નાખજો. જેથી કાલે તમને પૂજામાં તકલીફ ના પડે.’ (રોજ અષ્ટ પ્રકારી જિનપૂજાના અને આરતી કરવાના સંસ્કાર કાંઈક ઉન્મત્ત જેવી અવસ્થામાં પણ કેવા સંવાદી વચનો બોલાવે છે !! આ છે રોજ કરાતી ધર્મની પ્રવૃત્તિના સંસ્કારોની જાજવલ્યમાન શુભઅસર. ૯ બીજા દિવસે સવારે ૯ વાગે પિતાશ્રી હોસ્પિટલમાં આવ્યા. માતુશ્રી ને મળતાં પૂછ્યું : કેમ છે ? માતુશ્રી ઃ સારું એટલે ખૂબ સારૂં. હું આજે સવારે મારી જાતે દીવાલનો પણ ટેકો લીધા વિના... બાથરૂમ સુધી ચાલીને ગઈ છું. હવે મને કાંઈ જ નથી. પિતાજી આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તેમની સામે માતુશ્રીએ ટેકા વિના ચાલી બતાવ્યું. ડોક્ટર કહે ઃ મને ય આશ્ચર્ય થાય છે.... આટલું સારું... આટલું જલ્દી કેમ થઈ ગયું ? મને તો ‘મિરેકલ’ ઘટના લાગે છે. સાધર્મિક નબળો હોઈ શકે, નકામો તો નહિ જ. Jain Educat ***=y.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52