Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 34
________________ --------લ ૩૨ % જજ ---- - - ૨૪. જીવદયા ધર્મ સાર એ છે IAS ઓફિસર, ગુરૂભગવંતનું પ્રવચન સાંભળીને ગેસનો ચૂલો પૂંજણીથી પૂંજીને જ ચાલુ કરવાનો નિયમ લીધો. સામન્યથી જાતે ચા બનાવવાનું ક્યારેક જ થતું પરંતુ એકવાર કારણસર ચા જાતે જ બનાવવાની આવી. નિયમ યાદ આવતાં પૂંજણી લઈ પૂંજવાનું ચાલુ કર્યું. પ્રસંગ એવો બન્યો હતો કે આગલા દિવસે ચા બનાવતા ઉભરાઈને બર્નર પર પડેલી. સાફ કરવાનું રહી જતાં ૪૦૦-૫૦૦ કીડીઓ ભેગી થઈ ગયેલી. પૂંજણીથી પૂંજતાં જ ૪૦૦-૫૦૦ કીડીઓ ચારેબાજુ ભાગવા માંડી. સારું થયું કે પંજણીથી પૂંજ્યુ નહિતર સેંકડો કીડીઓ મોતના મુખમાં હોમાઈ ગઈ હોત. આપણે પણ સંકલ્પ કરીએ કે આખા દિવસમાં જ્યારે પણ ગેસ ચાલુ કરીએ ત્યારે પૂંજણીથી પૂંજીને જ ચાલુ કરીશું. - ૨૫. આરાધક પરિવાર ખાનપુરનો એ આરાધક પરિવાર નામ છે જયંતિલાલ મણિલાલ દામાણી પરિવાર. જયંતિભાઈને રોજ પરમાત્માની પૂજા કરવાનો નિયમ. પૂર્વ કર્મ પ્રભાવે ૭૫ વર્ષની ઉંમરે એટેકની સાથે પેરાલીસીસનો ભયંકર હુમલો થયો. પૂજા કરવા જઈ શકતા નથી. રોજ આંસુ પડે છે. દિલીપભાઈ અને મયુરભાઈ બંનેએ પિતાજીની ભાવના પૂરી કરવા ગૃહજિનાલય બનાવવા વિચાર કર્યો. વિ.સં. ૨૦૪૯માં ટોકરશાની પોળમાંથી પંચધાતુના પ્રાચીન શ્રી વાસુપૂજ્ય સ્વામી દાદાને લાવી ગૃહજિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી, આગળ વધતાં પરિવારમાંથી દીક્ષા કોઈકની થાય તો કુળનું નામ ઉજાળે તેવી ખૂબ ભાવના. નેહલને ગુરૂ ભગવંતનો સત્સંગ થતાં સંયમની ( ઔષધશાળા(હોસ્પિટલ)કરતાં પૌષધશાળા વધુ જરૂરી છે. ) Jain bucation International - ગાયક-નાના viney.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52