Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 29
________________ ૧૯. જીવો અને જીવવા દો અમદાવાદના એ ભાગ્યશાળીના ઘરમાં પુત્રનો જન્મ થયો. પિતાજી સંબંધીઓને ત્યાં પેંડા મોકલવા લીસ્ટ બનાવતા હતા. દીકરાએ પિતાજીને સમજાવ્યું કે તમારી તૈયારી હોય તો આ બધી જ રકમ જીવદયામાં વાપરીએ. સંમતિ મળી ગઈ. ખરેખર, અનેક જીવોને છોડાવવાનો મોટો લાભ મળી ગયો. ઘરના સંસારના પ્રસંગે આવા કોઈક ઉત્તમ કાર્યો તમે પણ કરશો ને? ૨૦. બાળ આરાધક મૂળ ઝીંઝુવાડાનો નિવાસી અને હાલ પાલડીના એ ટેણિયાને છ વર્ષની ઉંમરે અઠ્ઠાઈ કરવાની ભાવના જાગી. લક્ષ્મીવર્ધક સંઘમાં ચાતુર્માસ રહેલા તપસ્વી પૂ.આશ્રી નવરત્નસાગરસૂરિજી એ વાસક્ષેપ અને આશીર્વાદ આપ્યા. રંગેચંગે અઢાઈ કર્યા બાદ આસો મહિનામાં ઉપધાનમાં ઝુકાવ્યું. પ્રથમ જ દિવસે જોરદાર તાવ આવ્યો. ઘરના બધા ગભરાઈ ગયા. પરંતુ ટેણિયો મક્કમ હતો. દેવ-ગુરૂ કૃપા અને ટેણિયાનું સત્ત્વ, પૂર્વજન્મના સંસ્કાર બળ આપી ગયા. તકલીફો વચ્ચે પણ ભાવથી રંગેચંગે ઉપધાન તપની માળ પહેરી. આજે તો એની ઉમર ૧૩ વર્ષની છે અને દીક્ષાની ભાવના પણ છે. એ વિચારે છે કે ઝીંઝુવાડામાં ઘરે ઘરે દીક્ષા થઈ છે તો મારે પણ મારા કુટુંબમાંથી દીક્ષા લઈ કુળનું ગૌરવ જાળવવું જોઈએ. એના મિત્રે ગયા વર્ષે ૧૩વર્ષની ઉંમરે સિધ્ધિતપ પૂર્ણ કર્યો. ૨૧. જાગતી પાઠશાળા મુંબઈના ચોપાટી જૈન સંઘમાં આશરે એક વર્ષ પૂર્વે સંઘના સ્તરે પાઠશાળામાં “રત્નત્રયમ્” નામે ધર્મસંસ્કરણ કેન્દ્ર શરૂ થયું. આપત્તિમાં “ઓ મા” ની બૂમ પાડનારા સંપત્તિમાં “જો માં' (?) Jain Education international For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52