Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 22
________________ - - - - - - - - - ૨૦) નાના નાના નાના નાનાને બહારનું પાણી પણ પીતો નથી. હું ઉકાળેલું પાણી પીવું છું. મારા ઘરે જણાવી દઈશ તો મારા ઘરેથી ટીફીન લઈને આવશે. છેવટે અધિકારીઓએ ઘરે ફોન કરવા દીધો. પત્ની જ્યારે ટીફીન લઈને આવી ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે તારા પતિનો કોઈ વાંક નથી લાગતો. તમે ચિંતા નહી કરતા. ગભરાવા જેવું નથી અને ગોડાઉનને સીલ નહી મારીએ. એ યુવાનની ઉંમર આશરે ૩૯ વર્ષ. નામ એનું રીતેશ. થોડા વર્ષો પૂર્વે ગુટકાનો શોખીન હતો પરંતુ કોઈ સારા નિમિત્તે ગુટકા છોડી. ૨ વર્ષ પૂર્વે મહેસાણાના પોતાના મિત્રે દીક્ષા લીધી હતી, તે મ.સા.નું ચાતુર્માસ મહેસાણા હતું. વારંવાર સંપર્કમાં આવતા ચૌવિહાર આદિ અનેક આરાધનાઓ જીવનમાં આવતી ગઈ. વર્ધમાન તપ આયંબિલનો પાયો નાંખ્યો. પૂજયશ્રીની પ્રેરણાથી ધર્મના ક્ષેત્રમાં મક્કમતાપૂર્વક આરાધના વધારતો ગયો. હોટલ વિગેરે બહારનું ખાવાનો સંપૂર્ણ ત્યાગ. લગ્નાદિ સંસારના કોઈ પણ પ્રસંગમાં જવું નહિ. બીજા ઘણાં નિયમો જેવા કે પરિગ્રહ પરિમાણાદિ પણ સારી રીતે પાળે છે. રીતેશના ધંધામાં પૂર્વ કર્મોદયે આપત્તિ આવી પરંતુ હવે ધર્મની સમજના પ્રભાવે આપત્તિનો સહર્ષ સ્વીકાર હતો, સમાધિ રાખી શક્યો હતો. બીજે દિવસે અધિકારીએ ગાંધીનગર બોલાવ્યો. પૂછતાછ ૪-૫ કલાક ચાલી. વચ્ચે માણસ પાણી લઈને આવતો પણ રીતેશ લેતો ન હતો. અધિકારીએ પૂછ્યું કે પાણી કેમ નથી લેતો? રીતેશ કહે કે હું ઉકાળેલું પાણી પીવું છું. ઓફિસની બહાર વોટરબેગ છે તેમાં પાણી છે. અધિકારીએ બહારથી એની વોટરબેગ મંગાવી આપી. જરૂરી તપાસ માટે સાંજે અમદાવાદ આવવા નીકળ્યા. વોટરબેગ ઓફિસમાં ભૂલાઈ ગઈ. રીતેશે ( અક્કલ આપનારી માને અક્કલ વગરની કહેતા વિચારજો. ) Jain Education Tematorral or personal Private use www.jame brary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52