Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 17
________________ ----- -------જલ૧૫ - - - - - - - - થાય? આવો દોષ ન લાગે માટે લોકોને પ્રેરણા કરી મહિને અમુક રકમ નકરા પેટે નક્કી કરી આયંબિલખાતામાં લાયબ્રેરી નિમિત્તે જમા કરાવે. સાથે લાઈટ-પંખાનો ખર્ચો પણ અપાવે. જ્યારે પૂજા-પૂજન હોય ત્યારે લાયબ્રેરીની રજા. ક્યારેક સાધ્વીજી ભગવંતને ઉતરવાની જરૂર પડી તો લાયબ્રેરી ની રજા. આવુ તો વર્ષમાં ૧૫-૨૦ વાર. ઘણા સંઘોમાં વધારાની જગ્યા પડી હોય છે. કોઈક પુન્યશાળી મહેનત કરે, જવાબદારી લે તો આવું કાર્ય ગોઠવાઈ શકે. આવા વિદ્યાર્થીઓ આગળ જતા જૈન શાસનના કાર્યો પણ કરે. ધ્યાન એટલું રાખવું કે એનો નકરો સર્વ સાધારણમાં સંઘમાં નક્કી થયા મુજબ ભરાવી દેવો જેથી દોષ ન લાગે. આ જ રીતે વૃધ્ધોની લાયબ્રેરી પણ વિચારી શકાય. ઘણાનાં ઘરોમાં ધાર્મિક પુસ્તકો, ધાર્મિક મેગેઝીનો, વાર્તાના પુસ્તકો પડ્યા હોય તે અહી આપી જાય તો વૃધ્ધો ત્યાં બેસીને વાંચી શકે. ૧૨. પૂર્વજન્મ - પૂનર્જન્મ બોરિવલી, દોલતનગરના સેવંતીભાઈ પ-૭ વર્ષ પૂર્વે મળ્યા ત્યારે ઉંમર આશરે ૮૮ વર્ષ. નાનપણમાં ૫ વર્ષની ઉંમરે પૂર્વના ભવોનું જાતિસ્મરણ જ્ઞાન થયું હતું.' ૫ વર્ષના સેવંતીએ બધાને કહેવા માંડ્યું કે હું ગયા ભવમાં બ્રાહ્મણ હતો. ૨૦-૨૫ વર્ષ જીવ્યો હતો, પરંતુ તે ભવનું ખાસ યાદ નથી આવતું પરંતુ એની આગલો ભવ હું પાટણમાં રહેતો હતો. એ ભવની ઘણી બધી વાતો કહેવા માંડી. માતા-પિતા, લોકો આશ્ચર્ય પામતા. પાટણ લઈ ગયા તો સેવંતીએ જે પ્રમાણે ઘર, કુટુંબાદિની Family - Father and Mother I Love You Jain e ------- -- ---- - બનાના છ ay.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52