Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 181
________________ ૧૫૪ હેમચંદ્રાચાર્ય પહેલા મહાન ગુજરાતી તરીકે હેમચંદ્રાચાર્ય હંમેશાં. યાદ રહેશે. ગુજરાતને સુવર્ણયુગ તે સેલંકીયુગ. એ સુવર્ણ યુગમાં જડાયેલાં બે મહામૂલ્યવાન રત્ન તે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ. એ બન્ને નેને, હીરાની જેમ પહેલ પાડીને, અત્યંત તેજસ્વી અને મૂલ્યવાન બનાવનાર હતા. એક અકિંચન, સાત્વિક સાધુ, અને તે હેમચંદ્રાચાર્ય. આ સમગ્ર સજન આર્ય–સંસ્કૃતિમાં ધબકી રહેલા પ્રાણનું પ્રતીક બની રહે એવું છે, એટલું જ નહિ, કઈ પણ જમાનાએ - ખાસ કરીને હિંદના કેઈ પણ જમાનાએ- નવું કવચ ધારણ કરવું હશે ત્યારે આ ત્રિપુટીની અમર કલા એમને માર્ગદર્શન આપી શકશેઃ પરાક્રમ, પુરુષાર્થ અને પવિત્રતા. સિદ્ધરાજ જયસિંહ એ પરાક્રમની – રત્સાહની મૂતિ છે, પુરુષાર્થની મૂર્તિ કુમારપાલ છે, અને એ બન્નેને પવિત્રતાની અખંડ મર્યાદા દર્શાવનાર હેમચંદ્રાચાર્યું છે. જ્યાં આ ત્રિપુટી યેગ્ય રીતે બની હશે, ત્યાં વિજય અને સિદ્ધિ હશે. હિંદના ઈતિહાસની એ વિશિષ્ટતા ધ્યાનમાં રાખવામાં આવે, કે જ્યારે પણ એની પ્રજામાં પ્રાણ પ્રકટે છે, ત્યારે એક મંગલમૂતિ એ પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય છે. એ વિશિષ્ટતા દ્વારા આપણી સંસ્કૃતિને અનુરૂપ અને આખા વિશ્વને માર્ગદર્શક એવી ક્રાંતિ શી રીતે થાય એની પણ કાંઈક રૂપરેખા આંકી શકાય. આપણે ઐતિહાસિક વ્યક્તિઓને આવી રીતે અભ્યાસ કરવાની પણ જરૂરિયાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204