Book Title: Gujaratna Dharm Sampraday Author(s): Navinchandra A Acharya Publisher: University Granth Nirman Board View full book textPage 4
________________ પ્રકાશકનું પુરવચન ઉરચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકે અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીના પ્રાધ્યાપકે અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્યપુસ્તકે અને સંદર્ભગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં ભારતીય સંસ્કૃતિ વિષય ઉપર નિયત થયેલ પાઠ્યક્રમોના સંદર્ભમાં ડો. નવીનચંદ્ર એ. આચાર્ય લિખિત ગુજરાતના ધર્મસંપ્રદાય પુસ્તક પ્રકાશિત કરતાં હું આનંદ અનુભવું છું. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડો. હરિપ્રસાદ ગ. શાસ્ત્રીને હું આભાર માનું છું, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ નવેમ્બર, ૧૮૩ જે. બી. ડિલ અધ્યક્ષPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 200