Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 103
________________ आयुष्यमती भव । સ્વજન બીમાર પડે તો તરત તેના સુયોગ્ય ઉપચારો માટે પ્રયત્ન શરૂ કરી દઈએ છીએ. કદાચ, સ્થિતિ અત્યંત ગંભીર બને અને નાજુક પરિસ્થિતિ સર્જાય તો પણ છેવટ સુધીના તમામ ઉપાયો તેમને બચાવી લેવા માટે કરવામાં આવે છે. ૯૦ વર્ષના વૃદ્ધ દાદાના મૃત્યુને પણ શક્ય બધા પ્રયત્નોથી ઠેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઘડિયાળ કે ગાડી પણ ખોટવાય તો તરત તેનું સમારકામ કરી તેને સક્રિય કરી દેવાનો પ્રયાસ થાય છે. ઘરમાં સીધું-સામાન પણ સડી-બગડી ન જાય અને લાંબું ચાલે તેની તમામ તજવીજ કરવામાં આવે છે. તો જે માતૃભાષા સંસ્કારિતાનું સરનામું છે, પવિત્ર આર્ય સંસ્કૃતિનો આયનો છે, આપણી પરંપરાગત જીવનશૈલીનો પ્રતિધ્વનિ છે, આપણા કૌટુંબિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક જીવનપ્રવાસનો પંથ છે...તે માતૃભાષા અત્યારે બિમાર હાલતમાં છે, ગંભીર સ્થિતિમાં છે કે મૃતપ્રાયઃ અવસ્થામાં છે.... તેની બીમારીની કક્ષા અત્યારે નકકી ન કરી શકીએ તો પણ એટલું તો ચોક્કસ છે કે, તેનું આયુષ્ય ઘટી રહ્યું છે. તેને તાત્કાલિક સઘન સારવારની જરૂર છે. આપણી સંસ્કારલક્ષ્મી માતા સમી માતૃભાષા ગુજરાતીનું આયખું લંબાવવા તથા તેના ખૂટી ગયેલા-તૂટી ગયેલા સ્વમાન, સન્માન અને ગૌરવને પુનર્જીવિત કરવા શું ૯૪ ‘ભવ્ય ભાષા : માતૃભાષા ભ

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122