Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 190
________________ ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાપ્રિત્યક્ષ ૧૭૫ २२. ... सुषुप्तिकाले चेन्द्रियादिघटितसामग्रीविरहस्य फलाभावं विना ज्ञातुमशक्यत्वेनान्यो ચાયો: તદ્ધિ, પૃ. ૧૭ ૨૪ મતસિદ્ધિ, પૃ. ૧૧૭ ૨૪. ... રેવતસિવેદ્યત્વે વચ્ચે તૈન્મતે નિત્યજ્ઞની સંભનીત્વેનાજ્ઞાનરામયોગ્રા ચાથામૃત, પૃ. ૨૨૮ : નવપક્ષે સંઋતુપત્તિઃ તદ્ધિ, પૃ. ૧૭ २५. अज्ञानस्याज्ञानवृत्तिप्रतिबिम्बितसाक्षिभास्यत्वेन वृत्तिनाशादेव संस्कारोपपत्तेः, अज्ञानवृत्तिप्रति___ बिम्बितचैतन्यस्यैव साक्षिपदार्थत्वात् । अद्वैतसिद्धि, पृ. ५५७ ૨૬. નારીવતદેદ્યત્વા તેને વૃચમાવાયામશાને સંદેદાદ્યાપજ્યા...ચાલામૃત, પૃ. ૨૨૮ न च जागरेऽप्यज्ञानस्य वृत्तिवेद्यत्वे वृत्त्यभावशायां संशयाद्यापत्तिरिति वाच्यम् । મતિિદ્ધ, . ૧૭ ૨૭. અદ્વૈતસિદ્ધિકાર અજ્ઞાનાકાર (= અજ્ઞાનવિષયક) અજ્ઞાનવૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જ અજ્ઞાનનો (': અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિનો) સાક્ષી છે એમ કહે છે. અહીં ન્યાયામૃતકાર આપત્તિ આપે છે કે અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિસાપેક્ષ સાત્વિ હોય તો અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિ કદાચિત્ક હોવાથી જાગદશામાં પણ કદાચિત્ અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિના અભાવને લીધે ચૈતન્યનું અજ્ઞાનસાત્વિ સિદ્ધ થાય નહિ અને પરિણામે ત્યારે અજ્ઞાન અાક્ષિક થઈ પડે અને અજ્ઞાનવિષયક સંશયાદિની આપત્તિ આવે. આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે અજ્ઞાનવિષયક અજ્ઞાન જ અપ્રસિદ્ધ છે, એટલે અજ્ઞાનવિષયક સંશયાદિ થઈ શકે નહિ. તદ્વિષયક અજ્ઞાન જ તદ્વિષયક સંપાયાદિનું • ઉપાદાન છે. જે વિષયનું અજ્ઞાન અપ્રસિદ્ધ હોય તે વિષયના સંશયાદિ પણ અપ્રસિદ્ધ જ હોય. અદ્વૈતસિદ્ધિકારના આવા સમાધાનનું વિવેચન નીચે મુજબ છે. પ્રદર્શિતકાળે ' અજ્ઞાનવિષયક સંપાયાદિ ન થઈ શકતા હોય તો પણ તે વખતે અજ્ઞાન સાક્ષિસિદ્ધ હોય છે. કે નહિ?, તે વખતે અજ્ઞાન હોય છે કે નહિ? – એ વિચારવું જોઈએ. સાક્ષિસિદ્ધ વસ્તુ સાલી દ્વારા અગૃહીત હોય તો તે “છે” એમ કહી શકાય? અદ્વૈતસિદ્ધિકારે આનો સ્પષ્ટ ઉત્તર આપ્યોંનથી, અજ્ઞાનવિષયક સંશયાદિ થઈ શકે નહિ એટલું જ માત્ર તેમણે કહ્યું છે. ' કેટલાક તો આ અવસ્થામાં પણ અજ્ઞાનને સાક્ષિસિદ્ધ ગણે છે. અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિના અભાવની દશામાં ચૈતન્યનું અજ્ઞાનસાહિત્ય અદ્વૈતસિદ્ધિકાર સ્વીકારતા ન હોઈ આ બીજા કેટલાકનો મત અદ્વૈતસિદ્ધિકારના મતની વિરુદ્ધ જાય છે. માત્ર અજ્ઞાનોપહિત ચૈતન્યને અદ્વૈતસિદ્ધિકાર અજ્ઞાનનો સાક્ષી કહેતા નથી. અજ્ઞાનાકાર વૃત્તિના અભાવની દશામાં ચૈતન્ય કેવળ અજ્ઞાનોપહિત હોય છે પણ અજ્ઞાનવૃત્તિમાં પ્રતિબિંબિત હોતું નથી. જો કહેવામાં આવે કે જાગ્રતુદામાં અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિ ક્યારેક હોતી નથી, તો તેમ કહેવું યોગ્ય નથી. કેમ ? કારણ કે બ્રહ્મસાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિ ધારાવાહિકભાવે ઉત્પન્ન થાય છે જ, આ ધારાનો વિચ્છેદ થતો નથી. અહીં આપત્તિ એ આપવામાં આવે છે કે શું પ્રલયકાળે પણ અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિ હોય છે?

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234