________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
.. . 1
: એક પણ
CUUM
છે
“પર્યુષણનાં સંદર્ભમાં
આo
NMMS 3gp લે. : ડો. ભાઈલાલ એમ, બાવીશી M, B. B. S. પાલીતાણું
Bannonovoverenounovonovenover
3
“જીભ જીતી તેણે જગ જીત્યું
ફળ હશે એ પરાધનાનું ! થોડા જ દિવસમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ, જ્યારે આરાધકે માસખમણ, અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યા કરી સ્વાદ-આસ્વાદ ત્યાગશે અને જિન-ભક્તિ તેમજ ધર્મ-ક્રિયા કરી પ્રભુ-ગુણ ગાશે. એમ આ પવિત્ર દિવસોમાં શ્રી ચતુર્વિધ સંઘ આરાધના કરતાં “જીભ', જેનું જગત ગુલામ છે, એને જીતશે-ધન્ય બનશે! આવી ધર્મ–ચર્ચા અમારા “સામાયિક-મંડળમાં થઈ રહી હતી, જ્યારે અમારા મંડળનાં પંડિતજી શ્રી કપુરચંદભાઈ વારૈયાએ એ બન્ને પ્રકાશ પાડતાં કહ્યું –
મિત્રો આપણે સૌ જાણીએ છીએ. “જી” એ માનવીના અંગે માંનું એક વિશિષ્ટ અંગ છે, જે સંસારમાં માનવીના જીવનને સારે-નરસો વળાંક આપે છે, ચારિત્રઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે, એ બે-ધારી તલવાર છે, જેનો ઉપયોગ સારી કે ખરાબ રીતે થવામાં એના વાપરનાર પર અવલંબે છે.”
જીભના બે મુખ્ય કાર્યો સારૂં-નરસું બોલવું અને કડ-મીઠે સ્વાદ લેવો. પરિણામે જીવાત્મા સજજન કે દુર્જન બની શકે છે. સંજોગો ને સ્વભાવ અનુસાર માનવી કાં સાત્વિકતાત્વિક ને ગંભીર-ગૌરવભરી વાતે-વિચારણા કે આદેશ -ઉપદેશ દ્વારા આદરણીય વિભૂતિ બને છે, કાં કઠેર-કડવી ને કલુષિત-દુષિત ભાષા દ્વારા દુર્જન તરીકે પંકાય છે. જ્યારે સ્વાદ-આસ્વાદ ને સંદર્ભે પામર જીવ કાં સ્વાદિષ્ટ-સ્નિગ્ધ ને મીઠા-મધુરા મનભાવતાભેજન આરોગી રસસાગરમાં સરી પડે છે ને છેવટે વિલાસી-પ્યાસી બની જાય છે, કાં કડ-મીઠે કે સ્વાદહીન ખોરાક, ગમે તે મળે, તે પણ વિના સંકોચે વાપરે છે અને સમભાવી રહે છે.
આમ માનવી સારી-નરસી ભાષાને કારણે ચડતી-પડતીનાં ચક્રમાં ફસાયાનાં અને વૈભવવિલાસને કારણે વિલાસમાં ખૂંપી ગયાનાં કે વૈરાગ્યથી સમભાવી બન્યાનાં દષ્ટાંત આપતાં, જેથી ઘણું ઘણું અમને જાણવાનું મળે. આ એક પ્રસંગ (કથા-વાર્તા) કહેલ તે ઉલ્લેખનીય હોઈ “આત્માનંદ-પ્રકાશ'નાં વાંચકે સમક્ષ રજુ કરે ઈષ્ટ માની લખી રહ્યો છું. ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૬
: ૧૮૩
For Private And Personal Use Only