Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભ્યાસને હતું પર अभ्यासनौ ઐહિક અભ્યદયની આકાંક્ષા એ સાધારણ રીતે સર્વત્ર અભ્યા સનું સબળ પ્રયજન છે; અને આપણા દેશમાં તે તે મુખ્યત્વે કરીને છે. કેટલેક અંશે આ હેતુ સર્વથા યથાયોગ્ય છે. એ પણ સત્ય છે કે શિક્ષિત વર્ગ અશિક્ષિત કરતાં વધાદે સુખકર આજીવિકા ચલાવી શકે છે, અને વળી જે તેઓ વિશેષ ગુણ સંપન્ન હોય છે તે, જે મહાન અધિકારને માટે અશિક્ષિત વર્ગ તદ્દન અગ્ય માલુમ પડે છે, તે અધિકાર તેઓ ઘણું જ પ્રશસ્ય રીતે બજાવી આપે છે. પણ અભ્યાસને માટે આ કરતાં બીજા ઉચ્ચતર ઉદેશ છે. તે લક્ષ બહાર જવા ન જોઈએ. એક વિદ્વાન પુરૂષના કહેવા પ્રમાણે સર્વને માટે એક સાધારણ પ્રતિબોધ આપી શકાય, તે એ રીતે કે વિધા સંપાદન કરવાના વાસ્તવિક હેતુ શા છે તે તમારે વિચારવું જોઈએ; વળી તમે ફકત પિતાના મનને આનન્દ પમાડવાને અર્થે, અથવા વિવાદ વિગ્રહાદિને અર્થ, અથવા અન્ય વ્યકિત પર પિતાની અધ્યક્ષતા સાબીત કરવાને અર્થે, અથવા તે આથક લાભ કે સત્તા કે એવા બીજા કોઈ જધન્ય હેતુઓને માટે એ વિદ્યા પ્રાપ્તિને પ્રયાસ કરતા નથી, પણ તે ( વિધા) તમારા જીવનના લાભ અને ઉપયુતતાને અર્થેજ મેળવવા માગો છો એમ દર્શાવી આપવું જોઈએ, અને પરોપકારવૃત્તિ-સર્વ ભૂતોને વિષે અનુકંપા-માંજ એની પૂર્ણતા, એની પરાકાષ્ટા આવી રહે છે, એમ સાબીત કરી આપવું જોઈએ. એક બીજા સાક્ષર ગ્રંથકારના શબ્દોમાં કહીએ તે વિદ્યા પ્રાપ્ત કરવાને હતું પરંભા ની પૂર્ણ ઓળખાણ પડે, અને એ ઓળખાણદ્વારા એમનું (૧૨મામ)નું અનુકરણ કરાય.એમના સમાન થવા યત્ન ક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24